SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વનિર્મિત હિંસાકારી સાધનોનો સંયોગ મેળવવો તે સંયોજનાધિકરણિકી ક્રિયા, (૨) ખડ્ગ, ભાલા, છરી, હિંસાકારી સાધનોનું નિર્માણ કરવું તે નિવર્તનાધિકરણિકી ક્રિયા. ૩. પ્રાદેષિકી ક્રિયા : દ્વેષ અથવા મત્સર ભાવથી થતી ક્રિયા તે પ્રાદેષિકી ક્રિયા. ચપ્પુ વગેરે ૪. ૭. ૭. ૮. ૯. પારિતાપનિકી ક્રિયા ઃ જે પ્રયત્ન દ્વારા સ્વને કે પરને પીડનપરિતાપ ઉત્પન્ન થાય તે પારિતાપનિકી ક્રિયા. પ્રાણાતિપાતિકી ક્રિયા : પ્રાણાતિપાત એટલે પ્રાણોનો વિનાશ. પોતે આત્મહત્યા કરે કે બીજાને જાનથી મારી નાખે તે પ્રાણાતિપાતિકી ક્રિયા. આરંભિકી ક્રિયા : સાંસારિકવ્યવહાર અને સંસારના વ્યાપારના આરંભથી થતી ક્રિયા તે આરંભિકી ક્રિયા. પારિગ્રહિકી ક્રિયા : ધન-ધાન્યાદિક નવ પ્રકારની વસ્તુનો મમત્વભાવે સંગ્રહ કરવો તે પરિગ્રહ. તેનાથી નિષ્પન્ન થતી ક્રિયા તે પારિગ્રહિફી ક્રિયા. માયાપ્રત્યયિકી ક્રિયા : છલ કરવું, કપટ કરવું, ખોટી સાક્ષી ભરવી કે અન્યને છેતરવા ઇત્યાદિ માયાના કારણે થવાવાળી ક્રિયા તે માયાપ્રત્યયિકી ક્રિયા. મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા : જિનવચનમાં શ્રદ્ધા ન રાખે અથવા વિપરીતશ્રદ્ધારૂપ મિથ્યાદર્શનના કારણે થતી ક્રિયા તે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા. ૧૦. અપ્રત્યાખ્યાનિકી ક્રિયા : વિરતિ, ત્યાગ, નિયમ, વ્રતના અભાવથી લાગવાવાળી ક્રિયા તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા. ૧૧. દૃષ્ટિકી ક્રિયા : જીવ કે અજીવને કુતૂહલતાથી કે રાગ દૃષ્ટિથી જોવે કે તેના વખાણ કરવાથી જે ક્રિયા લાગે તે દૃષ્ટિકી ક્રિયા. ૧૨. સૃષ્ટિકી ક્રિયા ઃ જીવ કે અજીવ ને રાગ પૂર્વક સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે સ્પષ્ટિકી ક્રિયા. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૯૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy