________________
સત્યવચનયોગ. (૨) અસત્યના વિષયમાં થતી વચનની પ્રવૃત્તિ તે અસત્ય વચનયોગ, (૩) સત્ય-અસત્યના મિશ્ર અંશોમાં થતી વચનની પ્રવૃત્તિ તે મિશ્ર વચનયોગ, (૪) લોકમાં જે ઉચિત ગણાતું હોય તેવી વચનની પ્રવૃત્તિ તે વ્યવહારવચનયોગ. ૩. કાયયોગ : શરીરની પ્રવૃત્તિ દ્વારા આત્માનો જે વ્યાપાર તે કાયયોગ. તેના સાત ભેદ છે. (૧) મનુષ્ય અને તિર્યંચ શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીના સમયથી જીવનપર્યત શારીરિક જે ક્રિયાઓ કરે તે ઔદારિકકાયયોગ. (૨) મનુષ્ય અને તિર્યંચના જીવો જ્યાં સુધી શરીર પર્યાપ્તિ શરીરનું બંધારણ પૂર્ણ કરતા નથી ત્યાં સુધી કાર્પણ અને ઔદારિક એમ મિશ્રકાયયોગ હોય છે. (૩) દેવ અને નારકીને શરીરરચના પૂર્ણ થયા બાદ શારીરિક જે ક્રિયાઓ થાય છે તે વિક્રિયકાયયોગ, (૪) નરક અને દેવગતિને પ્રાપ્ત થયેલ જીવને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. (૫) વિશિષ્ટ લબ્ધિવંત મુનિ આહારકશરીરની સંરચના પૂર્ણ કર્યા બાદ જે ક્રિયા કરે તેને આહારકકાયયોગ કહેવાય, () આહારકશરીરના વિસર્જન સમયે ઔદારિક અને આહારકમિશ્રકાયયોગ હોય છે. (૭) વિગ્રહગતિમાં જીવ જે સમયે આહાર ગ્રહણ નથી કરતો તે સમયે તેને
કાર્મણકાયયોગ હોય છે. ૫. ક્રિયા :
ક્રિયા એટલે કાર્ય. કોઈ ક્રિયા શારીરિક પ્રવૃત્તિરૂપ હોય કે કોઈ માનસિક રૂપે થાય, તો કોઈ અજાગ્રતતા અસાવધાની પૂર્વક મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ દ્વારા થાય છે. તે ક્રિયાના ૨૫ પ્રકાર છે. ૧. કાયિકી ક્રિયા : કાયા દ્વારા થવાવાળી ક્રિયા તે કાયિકી ક્રિયા. તે
બે પ્રકારની છે. (૧) સાવદ્યયોગોથી યુક્ત જીવ જે પ્રવૃત્તિ કરે તે અનુપરતકાયિકી ક્રિયા, (૨) સાવદ્યયોગોથી વિરત થયેલો જીવ ઉપયોગ રહિત જે પ્રવૃત્તિ કરે તે અનુપયુક્તકાયિકી ક્રિયા. આધિકરણિકી ક્રિયા : અધિકરણ એટલે શસ્ત્ર, તેનાથી નિષ્પન્ન થતી ક્રિયા તે આધિકરણિકી ક્રિયા. તેના બે ભેદ છે. (૧)
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૮૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org