________________
એક નવો રસ્તો શોધવાનો છે. ન પદાર્થનો અતિવાદ, ન ચેતનાનો અતિવાદ. અગર પદાર્થમાં જ બધું સુખ શોધવાનો પ્રયત્ન કરીશું તો પરિણામમાં મળશે દુ:ખ અને દુષ્ચિતા. કેવળ ચેતનામાં જ રહીશું તો શરીર નહીં ચાલી શકે. શરીરધારીએ શરીર ચલાવવા માટે એને પોષણ આપવું પડે છે, એના માટે પદાર્થનું શરણ લેવું અનિવાર્ય છે.
જ્ઞાતાસૂત્રનો એક પ્રસંગ છે. એક બહુ ધનવાન શેઠના નોકરે આભૂષણોની લાલચમાં શેઠના પુત્રની હત્યા કરી. સંજોગો એવા થયા કે કોઈ ગુનામાં શેઠે પણ જેલ જવાનું થયું.જેલની એક જ કોટડીમાં બંનેને રહેવાનું થયું. બંનેને હાથકડી પહેરાવવામાં આવી. પગ બેડીઓથી જકડાઈ ગયા. બંનેના એક-એક પગને ભેગા બાંધવામાં આવ્યા. સહવાસ અનિવાર્ય થયો. પુત્રના હત્યારા સાથે શેઠને પરાણે જીવવાનો વારો આવ્યો. શેઠને ઘરનું ભોજન ખાવાની વિશેષ છૂટ હતી. ભોજન પછી શેઠને ટોયલેટ જવાનું થયું. હત્યારા કેદીએ સાથે આવવાની ના પાડી. પગ એક સાથે બંધાયેલા હતા. આખરે શેઠે તેની સાથે વિનંતીપૂર્વક સમાધાન કરવું પડ્યું કે ઘરેથી જે જમવાનું આવશે એમાં અરધો હિસ્સો એને આપવામાં આવશે. બીજા દિવસથી સાથી કેદીને ભોજનમાં ભાગ મળવા લાગ્યો. આ વાત શેઠાણી સુધી પહોંચી તો તેના ક્રોધનો પાર ન રહ્યો. સજાની અવિધ પૂરી થઈ કે શેઠ ઘરે પહોંચ્યા. શેઠાણી તો બરાબર નારાજ હતાં અને કહ્યું, ‘પુત્રના હત્યારાને ભોજન આપનાર સાથે હું વાત કરવા ઇચ્છતી નથી.’
શેઠે નારાજ પત્નીને સમજાવવા ખૂબ મહેનત કરી પછી કહ્યું, ‘ભાઈ ! ગુસ્સે થતાં પહેલાં મારી વાત તો સાંભળ ! મેં કઈ પરિસ્થિતિમાં એ હત્યારાને જમાડ્યો છે તે તો સાંભળવાની કૃપા કર. પછી તું નારાજ થજે.' આખરે શેઠની વાત સાંભળ્યા પછી શેઠાણીની નારાજગી દૂર થઈ.
જીવનમાં સમજૂતી કરવી જરૂરી થઈ જાય છે. સહુની સાથે અલિખિત સમજૂતી કરવી પડે છે. સમજૂતી જરૂર પૂરતી. આપણે રહીએ આત્મામાં અને જીવીએ પદાર્થજગતમાં. આ બે સૂત્રોને પકડી લઈએ કે જીવવાનું છે પદાર્થજગતમાં અને રહેવાનું છે આત્મામાં કે ચેતનાના જગતમાં. જ્યાં
મહાપ્રજ્ઞ વાણી - ૬
EC
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org