________________
જીવવાનો પ્રશ્ન છે, ત્યાં પદાર્થની સાથે પણ જ્યાં રહેવાનો પ્રશ્ન છે, ત્યાં આત્મા સાથે રહીશું. જે આ પ્રકારે સમજૂતી કરી લે છે, એનું જીવન સમાધિનું જીવન હોય છે. પ્રેક્ષાધ્યાનનું એક સૂત્ર છે – રહો અંદર, જીવો બહાર. આ સૂત્ર પર પૂરો અમલ થાય તો શાંતિ અને સમજદારીનું જીવન જીવી શકાય છે. જે સમાધાનકારી મનોવલણ ધરાવતા નથી, જેનામાં આગ્રહ છે, અતિવાદ છે, એકાંગી જીવન જીવે છે, એ સુખમય જીવન જીવે છે.
ચેતનાના મૂલ્યને ભૂલીને જે કેવળ પદાર્થમાં જ અટકી જાય છે, એનું ચિંતન પણ બીજી રીતનું થઈ જાય છે.
ગામડાનો એક જાટ શહેરમાં આવ્યો. ત્યાં એક કંદોઈની દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો. જોયું તો ગરમ-ગરમ જલેબી ઉતરી રહી છે. મન લલચાયું. એણે કહ્યું, “મારે જલેબી જોઈએ છે.'
. “કેટલી ?'
ભરપેટ
“પાંચ રૂપિયા થશે.' - એ વખતે પાંચ રૂપિયાની કિંમત હતી. જાટે કહ્યું, આપી દઈશ.”
કંદોઈએ દોઢ કિલો જલેબી તોળી દીધી. એક માણસ માટે પૂરતી ગણાય. પણ જાટતો જોતજોતામાં દોઢ કિલો જલેબી ખાઈ ગયો. એણે થોડી વધારે માગી તો કંદોઈએ આપી. ફરી વધારે માગી તો કંદોઈ અકળાયો. “બે કિલો તો ખાઈ ગયો, હવે કેટલી ખાઈશ?”
જાટે કહ્યું, “હું ગામડાનો માણસ છું.” આ જલેબી તો ભારે મજાની છે. હુંછમણ ખાઈ શકું છું. આ તો દસ મણ ખાઈશ. “કંદોઈએ હાથ જોડ્યા, ભાઈ ! તું અહીંથી જા. મારે તારા પાંચ રૂપિયા પણ જોઈતા નથી. જે ખાધી તે ભલે ખાધી પણ રવાના થઈ જા.”
માત્ર પદાર્થજગતમાં જે જીવે છે, એનો એક અલગ વ્યવહાર, અલગ દષ્ટિ રહો અંદર, જીવો બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org