________________
હોય છે. સમજૂતી કરનાર, મધ્યમ માર્ગ અપનાવનારની સમ્યફ દૃષ્ટિ હોય છે. એ દષ્ટિ એ છે કે ન તો પદાર્થથી ધૃણા કરો અને ન તો ચેતનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. આપણે ચેતનાની સાથે પણ રહીએ અને પદાર્થની સાથે પણ રહીએ.
પ્રેક્ષાધ્યાનનું આ સૂત્ર છે, “રહો ભીતર, જીવો બહાર' – આ સૂત્ર કામનું છે. નવી જીવનશૈલીનું નિર્માણ આ સૂત્ર દ્વારા થઈ શકે છે. આપણી આ નવી જીવનશૈલી એ પ્રકારની હશે કે ચોવીસ કલાક પદાર્થનો ઉપભોગ કરવા છતાં પણ ચેતના સાથે રહેશે. ચોવીસ કલાક નહીં તો પાંચ-સાત કલાક પણ ચેતનાની સાથે રહેવાનો અભ્યાસ તો અવશ્ય કરો. ચેતનાની સાથે રહેનાર કદી આસક્ત નથી થતો, બંધનમાં બંધાયેલો રહેતો નથી.
એક માણસ ગાયને દોરડેથી દોરીને લઈ જઈ રહ્યો હતો. ગાય આગળ આગળ દોડતી હતી. એ પાછળ પાછળ દોરડું પકડીને દોડતો હતો. બે દાર્શનિક રસ્તેથી પસાર થયા. તેમણે આ રીતે પેલા માણસને દોડતો જોયો.એક દાર્શનિકે બીજા દાર્શનિકને પૂછ્યું, “કહો ગાય અને માણસમાં બંધાયેલી કોણ છે?' ગાય કે માણસ ?
બીજાએ કહ્યું, “દેખાતું નથી? ગાય જ રસ્સીથી બંધાયેલો છે.”
પ્રશ્ન પૂછનારે કહ્યું, “જો તો ખરો. માણસ ગાયની પાછળ દોડે છે. ગાય તો મુક્ત થવા ઇચ્છે છે, બંધનગ્રસ્ત તો માણસ છે જે છોડવા તૈયાર નથી.”
આપણે બંધાઈએ નહીં. આસક્ત ન બનીએ. પદાર્થ પ્રત્યે આસક્તિ ન થાય. આ પ્રકારની ચેતના ત્યારે જ બની શકે જ્યારે એવો વિવેક જાગૃત થાય કે મારે સુખી રહેવા માટે ચેતના સાથે રહેવાનું છે. ચેતનાની સાથે જ રહે છે, એ દુઃખ, તનાવ, સમસ્યા આદિથી મુક્ત રહે છે. સમન્વય અને સમજૂતીની જીવનશૈલી નિર્માણ થાય તો જીવન આનંદપૂર્વક જીવી શકાય છે.
૧૪ જૂન
૧૦૦
મહપ્રજ્ઞ વાણી- ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org