________________
આત્મવિધ સર્વવિધ
Jain Education International
૧૧
આત્મવિધ સર્વવિધ
ભારતીય દર્શનમાં ‘સર્વજ્ઞ' શબ્દનું ઘણું મહત્ત્વ છે. માણસની જાણકારીની એક મર્યાદા હોય છે. જે ઘણું જાણે છે એ નહિ પણ બધું જ જાણે છે તે સર્વજ્ઞ છે. જાણવાનું કશું બાકી નથી તે સર્વજ્ઞ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ-બધું જાણે છે. એક વાક્ય ઉપનિષદોમાં પણ છે અને જૈન સાહિત્યમાં પણ છે - યે આત્મવિદ તે સર્વવિદ’
સર્વજ્ઞ કોણ ? જવાબ મળ્યો – જે આત્માને જાણે છે, તે સર્વજ્ઞ છે. જટિલ પ્રશ્ન છે કે એક આત્માને જાણનાર બધું કેવી રીતે જાણે છે ? એમ હોય તો ભણવા-ગણવાની જરૂર ખરી ? એક આત્માની જાણકારી થઈ ગઈ, બધું આવી ગયું એમાં. સાધના દ્વારા આત્માનો બોધ કરી લીધો, બધું જ્ઞાનમાં આવી ગયું. પ્રશ્ન પણ જટિલ છે અને એનો ઉત્તર આપવો પણ કઠિન છે. આત્મવિધ સર્વવિધ કઈ રીતે થઈ શકે છે ?
આ પ્રશ્ન પર અનેક રીતે વિચારી શકાય. એક દૃષ્ટિ બહુ સહજ હોઈ શકે કે બધું જ્ઞાન આત્મામાં છે. પદાર્થમાં જ્ઞાન નથી. અનાત્મમાં જ્ઞાન નથી. જે અનાત્મ છે, અચેતન છે, એમાં જ્ઞાન નહીં. જ્ઞાનનું કેન્દ્ર છે આત્મા. એમાં જ્ઞાન છે. જે વ્યક્તિ આત્માને જાણે છે, જે વ્યક્તિ આત્માને વિશુદ્ધ કરે છે, અને જે જ્ઞાનને અનાવૃત કરે છે, એ સર્વજ્ઞ કહેવાય છે. જ્યાં સુધી આત્મા પર આવરણ છે, જ્ઞાન જીવિત રહેશે.
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org