________________
પડદો હટી જાય તો આવરણ દૂર થઈ જાય, જ્ઞાન નિરાવરણ થઈ જાય તો બધું આંખો આગળ આવી જાય, વ્યક્તિ સર્વજ્ઞ થઈ જાય.
જ્ઞાન અનેક છે, જ્ઞાનના અલગ-અલગ વર્ગીકરણ થયા. દાર્શનિકોએ ઘણા પ્રકારનાં વર્ગીકરણ કર્યા છે પણ વાસ્તવમાં જ્ઞાન એક છે.
જયાચાર્યએ આ વાત સમજાવવા બહુ સરળ ઉદાહરણ આપ્યું છે. તેઓ તત્ત્વજ્ઞ આચાર્ય હતા. મહાન તત્ત્વવેત્તા હતા. તેમની સમક્ષ જ્ઞાનનું આ વર્ગીકરણ આવ્યું કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. પણ એમણે કહ્યું કે જ્ઞાન કેવળ એક છે - કેવલજ્ઞાન. શેષ બધા કેવળજ્ઞાનના આવરણના કારણે છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું, “આ ચોકી છે જે રેતીમાં દબાયેલી છે. રેતીમાં તો મકાન પણ ઢંકાઈ જાય છે. સાધારણ ચોકીનું દબાવવું કાંઈ અસ્વાભાવિક છે? સહરાના રણમાં ખોદકામ ચાલતું હતું. તોપનું નાળચું દેખાયું. તરત શોર મચી ગયો કે નીચે તો તોપ દબાયેલી છે. તરત ક્ષીણ અવાજ આવ્યો કે માત્ર તોપ જ નથી, મારા જેવા ઘણા ઘોડેસવાર પણ આ રેતી નીચે દબાયા છે.” *
જયાચાર્યએ કહ્યું, “ચોકી રેતીમાં દબાઈ ગઈ. એનો એક ખૂણો દેખાવા લાગ્યો તો એને કોઈ નામ આપી દીધું, બીજો, ત્રીજો, ચોથો ખૂણો દેખાયો તો એનું પણ અલગ-અલગ નામ આપી દેવાશે. પૂરી ચોકી જ્યાં સુધી નહીં દેખાય, અનાવૃત નહીં થાય, એની ઓળખ નહીં થાય. ઉપરથી બધી રેતી હટી જશે પછી જ એ ઓળખાશે.'
આપણું જ્ઞાન પણ એક છે પણ કર્મની ધૂળ આવૃત્ત થઈ જવાના કારણે તે અલગ-અલગ નામથી ઓળખાય છે. જરૂર છે આવરણને નિરાવરણ કરવાની. આવરણ હટી જાય તો સ્પષ્ટ થઈ જાય કે જે આત્માને જાણે છે એ બધાને જાણી લે છે. આ સાધના દ્વારા સંભવ છે. વિકાસના અનેક સાધન છે. વાતચીતથી પણ જાણકારી મળે છે. બીજાના વ્યવહારથી પણ જાણકારી વધે છે. બીજાને કામ કરતા જોઈને પણ જાણકારી મળે છે. પારિવારિક આનુવંશિકતાના કારણે પણ જાણકારી મળે છે. જાણકારીના અનેક સ્ત્રોત છે. કેળવણીથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org