________________
જાણકારી મળે છે પણ જાણકારીના વિકાસનો બહુ મોટો સ્ત્રોત છે સાધના. મનની ચંચળતાને દૂર કરી જે અતીન્દ્રિય ચેતનાને જાગૃત કરે છે, એ જ્ઞાની છે. જ્ઞાનનો સહુથી મોટો સ્ત્રોત છે અતીન્દ્રિય ચેતનાનો વિકાસ અને તે મનની ચંચળતાની સ્થિતિમાં થતો નથી. જયારે મનની ચંચળતા ઓછી થાય છે ત્યારે ભીતરની શક્તિઓ જાગૃત થાય છે. કાચમાં માં જોઈ શકાય પણ કાચને જોરથી ઘુમાવીએ તો મોં નહિ દેખાય. લોકો સમસ્યાનો હલ લાવવા અનેક સાધન શોધે છે પણ મનની ચંચળતા દૂર કરવા વિષે એમનું ધ્યાન જતું નથી. મનની ચંચળતા કઈ રીતે દૂર થાય, એ એક પ્રશ્ન છે.
જયાં સુધી અહંકાર છે ત્યાં સુધી મનની ચંચળતા દૂર થતી નથી. અહંકાર વિકલ્પ અને તર્ક જન્માવે છે એટલે ચંચળતા વધે છે. શિષ્યએ ગુરુ પાસે રહી અધ્યયન કર્યું. અધ્યયનની સમાપ્તિ બાદ દક્ષિણાનો સમય આવ્યો તો શિષ્ય બોલ્યો, “હું દક્ષિણા માટે પ્રસ્તુત છું. આપ કૃપા કરી જણાવો કે હું શું આપું?”
ગુરુએ કહ્યું, “આ દુનિયામાં જે સવાધિક અનુપયોગી વસ્તુ હોય તે મને આપો.'
શિષ્ય મૂંઝાયો. ખૂબ વિચાર કરવા છતાં પણ એવી કોઈ ચીજ તેના ધ્યાનમાં આવી નહીં, જેનો કોઈ ઉપયોગ ન હોય. એકેએક નાની-મોટી વસ્તુ પર તે ધ્યાન આપતો ગયો પણ કોઈ પણ વસ્તુ તેના ધ્યાનમાં આવી નહીં, જે અનુપયોગી હોય, વ્યર્થ હોય. ધૂળ અને માટી પણ ઉપયોગી જણાઈ. બહુવિચાર કર્યા બાદ તેને લાગ્યું કે, અહંકાર એ વસ્તુ છે, જેનો કોઈ ઉપયોગ નથી. તે ગુરુ પાસે ગયો અને બોલ્યો, “ગુરુદેવ! બહુ વિચાર કરવા છતાં મને કોઈ અનુપયોગી વસ્તુ દેખાઈ નથી. એક અહંકાર છે જેને હું અનુપયોગી માનું છું. અને એ જ આપને દક્ષિણામાં આપવા ઇચ્છું છું.” ગુરુએ શિષ્યની દક્ષિણા સ્વીકારી લીધી.
અહંકાર એવી વસ્તુ છે જે ઉપયોગી નથી. મેં ઘણીવાર કહ્યું છે કે જે કોઈ શ્રોતા પ્રવચન સાંભળવા આવે તે અહંકારને પોટલીમાં બાંધીને પોતાના ઘરે છોડીને આવે, ત્યારે જ્ઞાન મળશે. અન્યથા અહંકાર માથે ભરાયો હશે તો
આત્મવિઘસર્વવિધ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org