________________
ભિક્ષુક સંન્યાસી કહીને સંબોધન કરેલું. આપે મારા માટે જીવનનિર્વાહની વ્યવસ્થા કરવાની વાત કરેલી. હવે આપ મારી પાસેથી કંઈક માગી રહ્યા છો, જણાવો હું ભિખારી છું કે આપ? રાજાનો ચહેરો ધૂમિલ થઈ ગયો. આંખો નીચી થઈ ગઈ. કંઈ બોલી ન શક્યો.
પદાર્થજગતમાં જીવનાર કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે ભિખારી ન હોય. કાલે કે પરમદિવસે એક પુસ્તક વાંચી રહ્યો હતો. એમાં એક કહાની હતી. એક ભિખારી ધનપતિ પાસે કંઈક માગવા ગયો તો એણે કહ્યું, “હમણાં નહીં બે કલાક પછી આવજે, અત્યારે તો હું મંદિર જઈ રહ્યો છું એટલું કહીને એ ધનિક મંદિર તરફ આગળ વધ્યો. યાચક તેની પાછળ-પાછળ ગયો. ત્યાં જઈને મંદિરમાં જોયું તો ધનપતિ દેવતાની મૂર્તિ સમક્ષ યાચના કરી રહ્યો હતો.' - “પ્રભુ! હું તમારા દ્વારે આવેલો એક દિન યાચક છું. સહુને આપનાર છે સર્જનહાર ! કૃપા કરી મારી ઝોળી પણ ભરી દો.”
ભિખારીએ વિચાર્યું, “હું તો આ વળી કેવા ભિખારીના પનારે પડ્યો. આ પોતે બિચારો નાક રગડી રગંડીને કરગરી રહ્યો છે, મને શું આપશે?” એણે તત્કાળ રસ્તો બદલી નાખ્યો.
આમ જુઓ તો ભિખારી કોણ નથી? બધા છે, કારણ કે ધન-વૈભવની બધાને જરૂરત છે. પણ એ વ્યક્તિ જે પોતાની ચેતનાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, એ મહાન હોય છે. કોઈ એમ કહે કે પદાર્થજગતને હું છોડી દઈશ, એનાથી કોઈ સંબંધ નહિ રાખું તે બિલકુલ જૂઠી વાત છે. શરીરધારી પદાર્થથી પોતાની જાતને પૂરી દૂર કરવાનો સંકલ્પ કરે અને આત્માના સાંનિધ્યમાં રહે તો એને પદાર્થની ચેતના કદી મૂચ્છિત કરી શકતી નથી. શરીરમાં પણ રહેવાનું છે, આત્મામાં પણ રહેવાનું છે, બંનેમાં રહેવાની કળા સાધી લીધી, એ કદી જીવ અને જગતના સંગ્રામમાં ઉલઝશે નહીં. માત્ર શરીર અને શરીરમાં જ રહેનાર હંમેશા દુઃખી રહે છે. માત્ર આત્મામાં રહેવાથી શરીર ચાલતું નથી, એટલે શરીરની સાથેસાથે આત્માના સાંનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરવો પડે છે. જે માત્ર શરીરમાં જ રહે છે, એને તનાવ, ચિંતા, ભય, દરેક સમયે ઘેરાયેલો રહે છે. રહો અંદર, જીવો બહાર
૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org