________________
સ્વર્ણભસ્મ ખાનાર હોય કે દાણા વીણીને ખાનાર સહુએ આ ઘાટ પર જ આવવાનું છે. સહુએ એક ઘાટ પર જવાનું છે. સહુની મંજિલ એક છે. મંજિલ સહુની સ્મશાન છે એ જાણીને પણ અજાણ બને છે. એ સંન્યાસી આ રીતે દાણા વીણીને પોતાનું જીવન પસાર કરતા હતા. એમની મજબૂરી કે શોખ નહીં જીવનવ્રત હતું. રાજાએ તે સાધુ વિષે સાંભળ્યું. એમણે વિચાર્યું કે મારા રાજયમાં ધન-ધાન્યનો અભાવ નથી છતાં પણ રાજ્યમાં આવા ભિક્ષુ કે સંન્યાસી છે જે દાણા વણીને પોતાના ઉદરનું પોષણ કરે છે. રાજાને આ વાત જચી નહિ. તેઓ જાતે સંન્યાસી પાસે ગયા. જોયું તો સંન્યાસી એમને ખૂબ તેજસ્વી લાગ્યા. સંન્યાસીને પ્રણામ કરી રાજાએ કહ્યું, “ક્ષમા કરો મહારાજ!મને ખબર પડી છે કે જીવનનિર્વાહ માટે આપે દાણા વીણવા પડે છે. આ મારા માટે શરમની વાત છે. હું આપના માટે રાજ્ય તરફથી બધી જ વ્યવસ્થા કરીશ. આપ જેવા તેજસ્વી પુરુષે આ રીતે હેરાન થવાની જરૂર નથી.
ત્યારે કોઈએ સંન્યાસીનો પરિચય આપતા કહ્યું, મહારાજ ! આ કોઈ ભિક્ષુ નથી, એ કણાદ ઋષિ છે. ભારતીય દર્શનોમાં એક વૈશેષિક દર્શન છે. એ દર્શનના એક પ્રવર્તક થયા, તેમનું નામ કણાદ. પરિચય આપનારે કહ્યું, મહારાજ! આ કોઈ સાધારણ સંન્યાસી નથી, કે નથી એમને અનો અભાવ. એમની પાસે સ્વર્ણ-નિર્માણની વિદ્યા છે, ઇચ્છે તો પોતાની વિદ્યા દ્વારા સોનાનો પહાડ નિર્માણ કરી શકે છે.
રાજા તો પદાર્થવાદી ચેતનાવાળો હતો. આ વાત સાંભળીને તે અવાફ રહી ગયો. એનું દિમાગ ચકરાઈ ગયું. સંન્યાસીની નજીક જઈને બોલ્યો. મહારાજ! હું ધન્ય થઈ ગયો, આપના દર્શન થયા. હું એક મોટા રાજ્યનો શાસક છું. અત્યારે રાજ્યની નાણાકીય સ્થિતિ ડામાડોળ છે. અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ છે. બે યુદ્ધોએ રાજ્યની અર્થવ્યવસ્થાને બહુ નુકસાન પહોંચાડ્યું છે. ભંડાર ખાલી છે. આપ કૃપા કરી મને સ્વર્ણસિદ્ધિ વિદ્યા શીખવશો તો આપનો અનુગ્રહ થશે.'
તપસ્વી સંન્યાસીએ કહ્યું, રાજન! હમણાં તો થોડી વાર પહેલાં આપે મને
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org