________________
અહિંસાના કામની મને અપેક્ષા છે. આ કસોટી છે. અહિંસા મૂલ્યની વાત હૃદયે ધરવા જેવી છે. અમે આવ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે હરિયાણામાં પણ અહિંસાની બાબતમાં પ્રગતિની અમને અપેક્ષા છે.
સ્વાગત કરનાર સહુને અમે મોટી વાત કહી દીધી છે. એક અર્થમાં જવાબદારી સોંપી છે. સ્વનિરીક્ષણનું કામ સોંપ્યું છે. આત્મમંથનનું કામ સોંપ્યું છે. આ શરત ખૂબ મુશ્કેલ છે. આવી મુશ્કેલ વાતને અન્યથા ન લેશો. જાત સુધારણા માટે અને પરિવર્તન માટે આ વાતોનું મહત્ત્વ સમજશો. આત્મમંથન કરશો તો આપને આપનું દાયિત્વ સમજાશે. ઔપચારિક સ્વાગત વિધિ કરતાં આપનું દાયિત્વ વધારે છે. શાબ્દિક સ્વાગતની ઔપચારિકતા પછી જ સાચું કામ શરૂ થાય છે. સ્વાગતના સ્ટેજ પર તો ભીડ રહે છે સ્વાગત કરવા માટે, પણ કામ કરવાના મેદાનમાં આ સંખ્યા ઓછી થઈ જાય એમ પણ બને. સાચી જવાબદારી છે કામની. કામ થવું જોઈએ. અહિંસાયાત્રા પાછળનો ઉદ્દેશ જ એ છે કે અહિંસાની ભાવનાનો દરેક ક્ષેત્રમાં વિસ્તાર થાય. અમે એ ભાવનાનો પ્રસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો આવતા જાય છે, ભળતા જાય છે અને અમારા પ્રયાસનો પ્રવાહ પ્રસરતો જાય છે. આપને સોંપાયેલું આ દાયિત્વ છે. દાયિત્વ બોજ આપ સમજી શકો છો. આપના માથે, સ્વાગત કરનાર સહુના માથે અમે દાયિત્વ બોજ લાદી દીધો છે. જેમને જે બોજ સોંપાયો છે તેઓ તેનો નિર્વાહ કરશે તેવી આશા છે.
૧૧ જૂન
૯૨
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org