________________
ચલાવતો જઈ રહ્યો છે પણ એ તો જો કે બાળક કેટલું રડી રહ્યું છે.'
એણે કહ્યું, “બાળક રડી રહ્યું છે, અને હું જાતે રડાવી રહ્યો છું. મારી સાઈકલમાં ઘંટડી નથી. બાળકનું રડવું હોર્નનું કામ કરી રહ્યું છે.'
માણસની જીવનશૈલી કૃત્રિમ, જીવનના સઘળાં સાધન કૃત્રિમ, એની હિંસા કૃત્રિમ, એનું રડવું કૃત્રિમ બધું બનાવટી. જ્યાં યથાર્થ અને વાસ્તવિકતા જ કૃત્રિમ હોય ત્યાં અસલીની આશા રાખી શકાય નહીં.
આપણે જીવનની વાસ્તવિક્તાને સમજીએ અને એમાં પ્રાકૃતિક તત્ત્વોનો સમાવેશ કરીએ. અમે આપને ત્યાં આવ્યા છીએ. આપને અમારી પાસેથી એવી આશા તો ન જ રાખતા હોય કે આપ ધન માગો અને અમારા “તથાસ્તુ' કહી દેવાથી આપને ધન મળી જાય અને આપને કોઈ પણ પ્રકારની ભૌતિક વસ્તુ પ્રદાન કરી શકીએ નહીં. અમે તો આપને તેમાંથી મુક્ત કરાવવા આવ્યા છીએ. અમારો બધો સંદેશ જ ત્યાગ અને સંયમનો સંદેશ છે. ત્યાગ અને વિસર્જનનો મંત્ર જોઈએ તો એ મંત્ર અમે આપને પ્રદાન કરી શકીએ છીએ.
રાજા ભોજ જંગલના રસ્તે જઈ રહ્યા હતા. સાથે એમનો રાજકવિ પંડિત ધનપાલ હતો. ભોજે જંગલમાં એક મોટા વૃક્ષની ડાળથી લટકતાં મધમાખીના એક વૃન્દને જોયું. રાજા ભોજે એ મધપુડાને જોયો. જે છત પરથી પડવાની તૈયારીમાં હતો. એમણે ધ્યાનથી જોયું તો રાજકવિ મધમાખીઓને પોતાના હાથેપગે ઘસી રહ્યો હતો. એમણે કવિને પૂછ્યું, “કવિવર ! આમ કેમ થઈ રહ્યું છે?!” કવિની કલ્પના તો આગવી હોય છે. કવિએ કહ્યું,
દેયં ભો ધંધને ધન સુકૃતિભિનેં સન્યિતં સર્વદા, શ્રીકર્ણસ્ય બલેશ્ચ વિક્રમપતેરેદ્યાપિ કીર્તિઃ સ્થિતા/ આશ્ચર્ય મધુદાનભોગરહિત નષ્ટ ચિશસંચિતમ,
નિર્વેદાદિતિ પાણિપાદયુગલ ધર્ષ7હો મક્ષિકા: // દાનની કીર્તિ અમર હોય છે. આ ધરતી પર આજે પણ શિબિ, દધીચિ,
સહુથી મુશ્કેલ કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org