________________
વગર ઊભા ઊભા ઉપર પહોંચી જાય એ તેના માટે એક આશ્ચર્યની વાત હતી. ત્યારે એણે જોયું કે પાછી વળતી સીડીઓ પરથી એક સુંદર યુવતી નીચે ઉતરી. પેલો ગામડિયો તો અચંબામાં પડી ગયો. એને થયું, ‘અદ્ભુત છે આ ઇમારત. કોઈ वृद्ध અંદર જાય છે તો યુવાન થઈને બહાર આવે છે. મને અગાઉથી ખબર હોત તો મારી ઘરડી પત્નીને સાથે લઈ આવત. સીડી ચડાવી દેત અને જુવાન થયેલી પત્નીને ઘરે લઈ જાત.’
આ કલ્પના આધારિત વિચાર છે. જેને હકીકત સાથે કોઈ લેવા-દેવા નથી. આપણે કલ્પનાના જગતમાં જીવીએ છીએ. આપણે વાસ્તવિકતાના જગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવર્તન તો જ શક્ય છે. હું માનું છું કે હરિયાણાના માણસો ભાવુક જરૂર છે, પણ પરિવર્તન માટે સક્ષમ છે. અહીંના લોકોમાં સહજ ભાવુકતા છે અને ભાવુકતા તથા ગ્રહણશીલતામાં ખૂબ નિકટતા છે. જેનામાં ભાવુકતા છે તેનામાં ગ્રહણશીલતા ચોક્કસ હશે જ. અગર સાચું માર્ગદર્શન મળી જાય તો હરિયાણાને ખૂબ સારો પ્રદેશ બનાવી શકાય. એક ઉદાહરણ આપની સમક્ષ પ્રસ્તુત કરીશ.
થોડા દિવસો બાદ જ ગુરુદેવની પુણ્યતિથિ આવી રહી છે. એમણે સમાજને નૈતિકતાની આચારસંહિતા આપી હતી. અગર નૈતિકતાની આચારસંહિતાને વ્યક્તિ અને સમાજ અંગીકાર કરી લે અને તે જીવનમાં આવી જાય તો સારો જ માણસ બદલાઈ શકે છે, પણ થોડી મુશ્કેલીઓ છે. મુશ્કેલી એ છે કે ભીતર એવા અવરોધ છે, જે નૈતિકતામાં જીવનને પરિવર્તિત થવા દેતા નથી. લોભ, મહત્ત્વાકાંક્ષા આજે એટલા વધતા જાય છે કે એ યુગીન સમસ્યાનું રૂપ લઈ રહ્યા છે. પદ અને અધિકારના સંદર્ભમાં માનવીની મહત્ત્વાકાંક્ષાઓ વિસ્તરતી જાય છે. ઇચ્છીત સર્વ કાંઈ પ્રાપ્ત કરવા માણસ કોઈ પણ રસ્તો અપનાવે છે. આજનો માણસ એ કારણે જ કૃત્રિમ જીવન જીવી રહ્યો છે. જીવનયાપનના તેના માટે બધાં સાધન પણ કૃત્રિમ છે.
એક માણસ સાઇકલ પર જઈ રહ્યો હતો. આગળ બેઠેલું બાળક જોરજોરથી રડી રહ્યું હતું. એક માણસે એને રોકીને કહ્યું, ‘ભલા આદમી ! સાઇકલ
૮
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org