________________
પ્રકાશકીય
મહાપ્રજ્ઞ વાણી શ્રખલા પ્રકાશન એ અનેકાન્ત ભારતી પ્રકાશનની મહત્ત્વની ઐતિહાસિક યાત્રા છે. અવિરામ પ્રકાશન કાર્ય એ અમારા પ્રકાશન પરિવારની વિશેષ ઘટના છે.
સંસ્થાના અધિષ્ઠાતા શ્રી શુભકરણજી સુરાણાની સતત પ્રેરણાથી પ્રકાશન યાત્રા આ મંજીલ સુધી પહોંચવામાં સફળ બની છે. હજી ઘણા નવા શિખરો સર કરવાના બાકી છે. મહાત્મા ગાંધીજી પછી અહિંસાને સંપૂર્ણ ન્યાય આપવાનો ભગીરથ કાર્ય પૂજય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ દેશના ખૂણે-ખૂણે અહિંસા યાત્રાથી વ્યક્તિ વ્યક્તિને સજગ કર્યા છે.
મહાપ્રજ્ઞજી ગુજરાત વિષે ઊંડી લાગણી ધરાવે છે. ગુજરાતી વાચક ભલે દેશમાં હોય કે વિદેશમાં હંમેશા અમારા નવા પુસ્તકના પ્રાગટ્યની પ્રતીક્ષામાં હોય છે. જાણે વાચક માટે ભોજન અને ઑક્સિજન જ હોય.
અનુવાદ કાર્યમાં ડો. યોગેન્દ્રભાઈ પારેખનું વિનમ્ર યોગદાન. કંપોજિંગમાં ભાઈ કમલેશ પંચાલ, અશુદ્ધિ વિનાના પ્રૂફ વાંચવામાં શ્રી ચૈતન્ય પંડિતનું યોગદાન જાણે આ પ્રકાશન યજ્ઞમાં આહુતિનું કાર્ય છે.
મહાપ્રજ્ઞ વાણી પ્રકાશનમાં વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલા વાચક વર્ગને પ્રત્યક્ષ અને પરોક્ષ સહભાગિતા માટે આભાર. ૧-૧-૨૦૦૯
- સંતોષકુમાર સુરાણા
અમદાવાદ
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org