________________
માણસોના જીવનમાં પરિવર્તન લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કેટલાય માણસોને વ્યસનમુક્ત બનાવ્યા છે. ઘણા માણસોના દૃષ્ટિકોણને બદલ્યો છે. - પૂજયશ્રીનાં પ્રવચનો સંદર્ભે નોરતમલજી દુગડનું સૂચન હતું - દર મહિનાનાં પ્રવચન એ જ મહિને પુસ્તક સ્વરૂપે લોકોના હાથમાં પહોચે તો અનેક લોકો લાભાન્વિત થાય. ચિંતનને તાત્કાલિક કાર્યાન્વિત કર્યું એ જવાબદારી અમને મળી. કોઈ પણ નવા કાર્યનો આરંભ અને પ્રથમ ચરણ પેરાશૂટ લઈને વિમાનમાંથી કૂદવા જેવું હોય છે. એમાં માત્ર આત્મવિશ્વાસની જરૂરત હોય છે.
પૂજ્યશ્રીના આશીર્વાદથી અમે કાર્યનો પ્રારંભ કર્યો. ૨૦૦૫માં પ્રવચનોના સંપાદનનો નિર્ણય લેવામાં આવ્યો. “મહાપ્રજ્ઞને કહા ગ્રંથમાળાના ૧થી ૨૬ ભાગ પ્રકાશિત થઈ ગયા છે. આ પ્રવચનો માત્ર વાંચવાનાં નથી, સાંભળો. આ અમૃતપ્રવાહમાં ઝંપલાવી સમસ્યાનું સમાધાન મેળવો. આ પુસ્તક આપ જ્યાંથી પણ વાંચશો ત્યાંથી પ્રજ્ઞાનું ઝરણું વહેતું દેખાશે.
અધ્યાત્મ સાધના કેન્દ્ર નવી દિલ્હી.
- સાધ્વી વિમલપ્રજ્ઞા - સાધ્વી વિદ્યુતવિભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org