________________
છે. સ્વાથ્યની બાબતમાં આજે આરોગ્ય કેન્દ્રો પર ખૂબ જાણકારી આપવામાં આવે છે. એમાં એક સલાહ આપવી જોઈએ કે અગર ચરિત્ર યોગ્ય છે તો સ્વાથ્ય સારું રહેશે. ચરિત્રનું પતન, સ્વાથ્યમાં પણ પતન લાવશે. મેડિકલ સાયન્સમાં બે ઉપાય બતાવવામાં આવ્યા છે – પ્રિવેન્શન અને કયોર પ્રિવેન્શન એટલે કે રક્ષા કરો જેથી રોગ નહીં થાય. એનાથી ચિકિત્સાની અપેક્ષાએ અગ્રતા આપવામાં આવે છે. આયુર્વેદમાં પણ આ ફોર્મ્યુલા છે કે દવાથી જૂની બીમારી મટાડે છે અને કોઈ નવી બીમારી પેદા ન કરે.
રોગથી બચવાનું પ્રશિક્ષણ હોવું જોઈએ. ગામના લોકોએ પણ આ વાત જાણવી જોઈએ કે અગર આપણું મન સ્વચ્છ છે, ચારિત્ર્ય શુદ્ધ છે તો આપણે કદી બીમાર નહીં થઈએ. આપણાં ખાનપાન અને આદતો, પ્રવૃત્તિઓ સાત્ત્વિક હશે તો આપણું શરીર સ્વસ્થ રહેશે. શાકાહાર સારા સ્વાથ્યમાં ખૂબ સહાયક છે. એનો ખૂબ પ્રચાર થવો જોઈએ. હું ઇચ્છું કે ચિકિત્સા શિબિરોમાં આ વાત શીખવવામાં આવે કે રોગમુક્ત થવાની ચેતના કઈ રીતે વિકસિત કરવામાં આવે? માણસના ધ્યાનમાં એક વાત અવશ્ય રહેવી જોઈએ કે એક દિવસ બધું છોડીને જવાનું છે. આપણે જિંદગીમાં લોભથી, મોહથી, ઈર્ષ્યાથી એવું કામ શું કામ કરીએ કે જેનાથી આપણને કે આપણા દ્વારા કોઈને કષ્ટ થાય. આ રીતે ચિંતન થાય તો પછી માણસથી કોઈ અનૈતિક કામ નહીં થાય. આવી અવસ્થામાં પછી આરોગ્ય, બોધિ અને સમાધિની પ્રાપ્તિ થશે. નૈતિકતા મહત્ત્વનું પરિબળ છે. નૈતિકતા ધર્મ છે અને નૈતિક આચરણ મનુષ્ય જીવનમાં અનિવાર્ય છે એટલું સહુને સમજાય તે જરૂરી છે. નૈતિક આચરણ કરનારની આંતરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા માણસને રોગમુક્ત કરે છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને ભાવશુદ્ધિ નૈતિક-આચરણના પોષક છે. નૈતિક આચરણ દ્વારા હૃદય-મન-ભાવ પણ શુદ્ધ રહે છે. હવે આપ પ્રાર્થના કરો ત્યારે આ ત્રણ શબ્દોને સ્મૃતિમાં રાખો અને ત્રણ માટેની યાચના કરજો - આરોગ્ય, બોધિ અને સમાધિ.
૧૧ જૂન
८४
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org