________________
‘મેળવી દીધું.’
‘સરસ ! બેટા ! ચાલ મંદિરે જઈને દર્શન કરી આવીએ.'
આ છે આજના માણસની ધાર્મિકતા અને આવી ધાર્મિકતા એ કદી શુદ્ધ પરિણામ આપી શકે એ સંભવ નથી. આ રીતે જ ધર્મનું પાલન થાય છે, તેથી હિન્દુસ્તાન કમજોર થતું જાય છે. આ વિકૃતિએ ઘણી સમસ્યા જન્માવી છે. ડૉક્ટર શરીરનું પરીક્ષણ કરી દવા લખી આપે પણ એ વાતની કોઈ ખાતરી નથી કે મેડિકલ સ્ટોર પર દવા અસલી મળી જશે. એક-એક દવાની કેટલી બ્રાન્ડ બજારમાં આવે છે. રંગ, રૂપ, આકાર અને સ્વાદ અસલી જેવો જ હોય છે. જેવી અસલી દવા એવી જ નકલી દવા. દવાઓની કેટલી યે ફેક્ટરી પકડાય છે જેમાં નકલી દવા બને છે. કયું ક્ષેત્ર અછૂત રહ્યું છે મોતના સોદાગરોથી ? નૈતિકતા આજે લઘુમતિમાં આવી ગઈ છે. બહુ ઓછા લોકો નૈતિકતાની કાળજી રાખવાના પક્ષે છે. લોકો મજાકમાં એમ કહે છે કે, ‘સોમાંથી નેવું બેઇમાન, છતાં મેરા ભારત મહાન.' ચરિત્રમાં ખૂબ પતનની સ્થિતિ છે.
હમણાં અમે અલવર જિલ્લામાં પ્રવેશ કર્યો તો અહિંસાયાત્રાની સાથે ચાલનારા યાત્રિકો ગામમાં દૂધ લેવા ગયા. ત્યાં ગામ લોકોએ દૂધના પૈસા લેવાની ના પાડી. તેમણે કહ્યું, ‘અમે દૂધ વેચતા નથી.’ અગાઉ એવી પ્રથા હતી કે દૂધનું વેચાણ થતું નહિ. આજે એવો સમય છે કે શુદ્ધ દૂધ મળવાનું મુશ્કેલ છે. નકલી કે પાઉડરનું દૂધ વેચાય છે. પાણીમાં દૂધ ભેળવવા સુધીની વાત સ્વીકૃત થઈ છે, પણ નકલી દૂધ, સિન્થેટિક દૂધ વેચાઈ રહ્યું છે. દૂધની ફેટ વધારવા તેમાં યુરિયા ભેળવવામાં આવે છે. આ અધઃપતનની સીમા છે. શહેરના લોકો શહેરની બુરાઈ ગામમાં પણ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ગામડાંઓ હજી પણ એક હદ સુધી પ્રચલિત ખરાબીથી બચેલાં છે પણ સંક્રમણની બીમારી કંઈક એવી છે કે શહેરના બેક્ટેરિયા હવે ગામની શુદ્ધ હવાને પણ વિષાક્ત બનાવે છે.
જ્યાં આ રીતની અનૈતિકતા છે, ત્યાં આચાર નથી હોતો, અને જ્યાં આચાર નથી હોતો ત્યાં સ્વાસ્થ્ય હોતું નથી, ત્યાં બીમારીઓની બોલબાલા હોય
આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨)
Jain Education International
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org