________________
અથડાઈ. તેમણે ખોપરી ઉઠાવી અને વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા. તેઓ ખોપરીને પોતાના ઘરે લઈ ગયા. મિત્રોએ કહ્યું કે, “સ્વાંગસે! તમે પાગલ તો નથી થઈ ગયા ને? આ માનવ ખોપરી પાસે વારંવાર ક્ષમા માગવાનો કોઈ અર્થ ખરો? આ તો હાડકું છે.'
સ્વાંગસે કહ્યું, ‘તમે લોકો કદાચ જાણતા નથી કે આ કોઈ સમ્રાટની ખોપરી છે. આ સમ્રાટની ખોપરીને મારા પગની ઠોકર વાગી. વિચારો, અગર આજે આ સમ્રાટ જીવિત હોત તો મને કેટલો કઠોર દંડ મળ્યો હોત ! એમના જીવનકાળ દરિમયાન કેટલા લોકો ભયભીત રહ્યા હશે?! કેટલા લોકો એમના ઇશારે નાચ્યા હશે. એમણે તો કલ્પના પણ નહિ કરી હોય કે એક દિવસ એમની ખોપરી સ્મશાનમાં લાવારિસની જેમ રઝળતી હશે અને લોકોના પગની ઠોકર ખાતી હશે અને પોતે કશું નહિ કરી શકે.
મૃત્યુ એક ચિરંતન સત્ય છે. એનાથી આજ સુધી કોઈ બચી શક્યું નથી, કોઈ બચી શકવાનું નથી. એમ નથી કે નાના માણસો જ મરી જશે અને મોટા માણસો બચી જશે. બધા જ કાળગ્રસ્ત થવા નિર્માયા છે. એક રીતે જોઈએ તો મોટા લોકો જલદી આ દુનિયામાંથી વિદાય લે છે કારણ કે એમનામાં લોભ, અહંકાર ઈર્ષ્યા આદિની ભાવના વધારે પ્રબળ હોય છે. આ સર્વ કષાય આયુષ્ય ઘટાડનાર છે એટલે જ મોટા માણસોના તીવ્ર કષાય એમને આ દુનિયામાંથી જલદી ઉઠાવી લે છે. એમનું આયુષ્ય છે મોટા બનવાની સ્પર્ધામાં, દોડમાં. તેમણે આ કષાયોને જીવનભર તીવ્ર કર્યા છે, તીવ્ર થવા દીધાં છે તેથી એમનું સ્વાથ્ય બગડતું રહ્યું હોય છે. સ્વાથ્ય આંતરિક બાબત છે. શરીરનું સત્ય બાહ્ય પ્રતિષ્ઠાને લક્ષમાં લેતું નથી. બહારના જગતમાં પ્રતિષ્ઠા હોવાના કારણે કે “મોટા' હોવાના કારણે શરીરના રોગોથી બચી શકાય એવી કોઈ વ્યવસ્થા શરીરમાં નથી. શરીરનું શાસ્ત્ર અને શરીરનો ધર્મ નાના-મોટા સહુને વિષે એકસરખો લાગુ પડે છે. શરીર કહો કે સ્વાસ્થ કોઈને છોડતું નથી.
માણસ નાનો હોય કે મોટો ભીતરની આંખ ખૂલવી જોઈએ. ભીતરની આંખ ખૂલી જાય તો આયુષ્યને ક્ષીણ થતું બચાવી શકાય છે. વિવેક જાગૃત થાય
મહાપજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org