________________
એક બ્રિટિશ સમ્રાટની પણ સુંદર પ્રાર્થના સાંભળી છે. આપણી પરંપરામાં તો ઘણી સુંદર પ્રાર્થનાઓ છે પણ આવશ્યક સૂત્રની પ્રાર્થના અલગ તરી આવે છે. આરોગ્યે બોરિલાભ સમાવિરમુત્તમ દિતુ'
પ્રભુ મને ત્રણ વરદાન આપો - આરોગ્ય, બોધિ અને સમાધિ. મને આરોગ્ય જોઈએ. હું રોગમુક્ત રહેવા ઇચ્છું છું કારણ કે રોગ અવરોધ ઊભો કરે છે. શરીરનો રોગ તો બાધક છે પણ મનનો રોગ તો વિશેષ બાધક છે. પ્રાર્થનાનું પ્રથમ લક્ષ છે આરોગ્યની ભાવના.
બીજી ભાવના બોધિની છે. મને બોધિ મળે. અગરબોધિનથી તો આરોગ્ય ટકશે નહીં. બોધિ અર્થાત્ અંતજ્ઞન મળે. વાંચવું એક અલગ વાત છે પણ વાંચ્યા પછી અંતરચક્ષુ ઉદ્ઘાટિત થાય એ સાવ અલગ વાત છે. ભીતરની આંખનું ખૂલી જવું એ કઠિન અને જટિલ વાત છે. બહારની આંખ તો ખુલ્લી રહે છે, પણ ભીતરની આંખ સહજ રીતે ખૂલતી નથી. જો અંતરચક્ષુ જાગૃત ન થાય તો માણસ વિચારી શકતો નથી કે સાચું શું છે અને ખોટું શું છે. આજે આ વાતની ખૂબ આવશ્યકતા છે કે જે લોકો મોટાં પદો પર બેઠા છે, તેઓ મોટા અધિકારી હોય કે મોટા ઉદ્યોગપતિ, વેપારી હોય કે મોટા ધર્મગુરુ હોય, જરૂરી એ છે કે તેમની ભીતરની આંખ ખૂલે, આંધળો આંધળાને રસ્તો બતાવે તો બંને ખાડામાં પડે. - ભીતરની આંખ ખૂલી જાય તો વ્યક્તિની ચેતના પવિત્ર બની જાય. ભ્રાંતિઓ કેમ પોષાય છે? તર્કશાસ્ત્રમાં એને વિપર્યય કહેવાય છે. અધ્યાત્મમાં એને ભ્રાંતિ કહે છે. ભ્રાંતિઓ ત્યારે જ પોષાય છે, જ્યારે ભીતરની આંખ બંધ હોય છે. આ વાતને સહુ જાણે છે કે પોતે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાનું નથી. આ સત્ય જાણવા છતાં માણસ જાત સાથે છળ કરીને પણ ભ્રમને પોષે છે, ભ્રમને જીવે છે. આ ધરતી પર એવા એવા સમ્રાટો, શાસકો થઈ ગયા છે જેમની સત્તાનો સૂર્ય અસ્ત નહોતો પામતો તેવાઓ પણ કાળની ગર્તામાં લીન થઈ ગયા છે. કાળ કોઈને છોડતો નથી.
સ્વાંગસે જે ચીનના એક મહાન દાર્શનિક થઈ ગયા. એક વખત તેઓ સ્મશાનના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમના પગમાં એક ખોપરી આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org