SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તો ભીતરની આંખ ખૂલવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કહેવાયું છે કે : એકોઽહિ ચક્ષુરમલં સહજો વિવેકઃ । વિવેક આપણું ત્રીજું નેત્ર છે. માણસ જાણે છે પણ વિવેક કરવાનું જાણતો નથી કે ક્યારે, ક્યાં અને શું કરવું જોઈએ તો એનું કાર્ય સમ્યક્ નથી હોતું. વિવેકને સમજવા માટે એક સીધું-સાદું ઉદાહરણ આપી શકાય કે અગર વિવેક નથી તો સમ્યક્દર્શન નથી થતું. કામ યોગ્ય રીતે થતું નથી. કિસાન ખૂબ વિવેકી હોય છે, એને ખબર છે કે કઈ ભૂમિમાં કયા બીજ વાવવાથી શું ઊગશે ! જેનામાં આવિવેક નથી તે ખેડૂત અસફળ રહે છે. જેવી જમીન એવો પાક થાય છે. શેરડી, બાજરી, કપાસ, ચોખા આદિ માટે જમીનના ગુણધર્મો નિર્ધારીત કરે એવા વિવેકની જરૂર છે કારણ કે દરેક પ્રકારની ભૂમિમાં દરેક પ્રકારનો પાક થતો નથી. જેનામાં વિવેક નથી, એ જીવનમાં સફળ થઈ શકતો નથી. કોઈ પણ કામ કરતી વખતે વિવેકને કામે લગાડીએ, એના લાભ-હાનિ બાબતે વિચાર કરીએ. આ બધું બોધિનું કામ છે. આરોગ્ય પણ ત્યારે આવે છે, જો સાથે બોધિ હોય. માત્ર આરોગ્ય માગીએ અને સાથે બોધિ નથી તો આરોગ્ય ટકતું નથી. આંતરિક સમજ હશે તો જ આરોગ્ય થશે. ત્રીજી વાત – મને સમાધિ મળે. દરેક માણસ સમાધિ ઇચ્છે છે. માત્ર ધ્યાની કે યોગી જ નહીં, દરેક માણસ સમાધિ ઇચ્છે છે કે હું સમાધિમાં રહું. સમાધિની અવસ્થામાં ન તો કોઈ ખરાબ વિચાર આવે છે, ન ભાવનાઓ અને કલ્પનાઓ જોર કરે છે, ન કોઈ ઇચ્છા વિસ્તરે છે. કાંઈ નહિ, માત્ર નિર્વિચારતાની સ્થિતિ હોય છે. કોઈ સમાધાનની જરૂર નથી. પ્રશ્ન ઊઠવાનો કોઈ સવાલ જ નથી. સમાધિની સ્થિતિ પૂર્ણ શાંતિની સ્થિતિ છે. દરેક માણસ તેની આકાંક્ષા કરે છે. પ્રયત્ન ભલે તેને અનુરૂપ ન કરે પણ આ વાતને યોગ્ય રીતે સમજી લેવાની છે કે આરોગ્ય અને બોધિ નથી તો સમાધિ કદી મળી શકતી નથી. શરીર સ્વસ્થ, મન સ્વસ્થ અને સાથે અંતર્થાન, અને ત્યાર પછી માણસ સમાધિમાં રહી શકે છે. જે આયુર્વેદમાં એક પ્રકરણ કે અધ્યાય છે રસાયણશાસ્ત્રનું. રસાયણ એ છે પુષ્ટ કરે છે. રોગનું શમન કરે અને સાથે સાથે પુષ્ટ પણ કરે. સાથે સાથે આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨) ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy