________________
થતા રોગ છે. કેન્સર આક્રમક બીમારી છે જેનો વિશેષ સંબંધ મન સાથે છે.
એક માણસ ગધેડા પર સામાન લાદીને જઈ રહ્યો હતો. રસ્તામાં કોઈ બીજું મળ્યું. તેને પૂછ્યું, ‘ક્યાં જઈ રહ્યો છે ?’
‘માલ વેચવા જઈ રહ્યો છું.’
‘કેવો માલ ?’
‘કોઈ એક હોય તો બતાવું. મારી પાસે જાત જાતનો માલ છે. જરૂરત મુજબ બધું જ છે. ઇર્ષા, દ્વેષ, લોભ, કલહ, જૂઠ, બેઇમાની, દગાબાજી, વિશ્વાસઘાત બધાનો પૂરો સ્ટોક છે.’
છળ,
‘પણ આ બધું ખરીદશે કોણ ?'
આપ પૂછી રહ્યા છો કે ખરીદશે કોણ ? પણ લોકોમાં આ માલની એટલી ડિમાન્ડ છે કે અત્યારે લઈ જઈ રહ્યો છું. બે દિવસ પછી અહીં જ મળજો. ખાલી થઈ જશે.
બે દિવસ બાદ એ વ્યક્તિ બરાબર એ જ જગ્યાએ મળ્યો અને જોયું તો વેપારીનો બધો માલ ખલાસ થઈ ગયો હતો. પેલાએ પૂછ્યું, ‘આ તો આશ્ચર્યની વાત છે. કોણ હતું ખરીદનાર ?'
વેપારીએ કહ્યું, ‘સ્ત્રીઓ, વેપારીઓ, રાજનેતાઓ અને ધર્મગુરુઓ - સહુએ ખરીદી કરી. મારા માલના ગ્રાહકો બધા છે.'
માણસમાં ક્રોધ, ઇર્ષ્યા, દ્વેષ છે. ઇર્ષ્યાના કારણે ઘણી બીમારીઓ થાય છે. માણસની પ્રકૃતિ જ એવી છે કે બીજાનો ઉત્કર્ષ જોઈ શકતો નથી. એવા પાડોશી બહુ ઓછા મળશે જે પોતાનાં પાડોશીની પ્રગતિથી રાજી હોય. એક યુવકે વેપાર શરૂ કર્યો. જોતજોતામાં ખૂબ પ્રગતિ થઈ. વેપાર જગતમાં એનું નામ થઈ ગયું. બીજા વેપા૨ીઓની આંખમાં આ યુવકની પ્રગતિ ખટકવા લાગી. બધા વેપારીઓએ ભેગા મળી ષમંત્ર કર્યું અને યુવાનને દુનિયામાંથી જ વિદાય આપી દીધી. હત્યા માટે હવે સોપારી આપવાની પ્રથા છે. માફિયાઓ સોપારી એટલે
મહાપ્રજ્ઞ વાણી - ૬
90
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org