________________
આયુર્વેદનાં ચાર આર્ય
સત્ય (૧)
આયુર્વેદના ચાર સત્ય છે - રોગ, રોગનું કારણ, આરોગ્ય અને આરોગ્યનું કારણ. પહેલી વાત - રોગ છે. ભાગ્યે જ એવું ગામ મળે કે જ્યાં કોઈ રોગ ન હોય. જન્મ અને મૃત્યુ અનિવાર્ય છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે, આ સત્ય સહુ કોઈ જાણે છે. મૃત્યુને રોકી શકાય નહિ. અનવરત ચાલતું આ ચક્ર છે. ક્રમ છે. રોગ પણ એક વાસ્તવિકતા છે. ઘણાં ઓછા લોકો એવા છે જે જીવનભર નીરોગી રહ્યા હોય. કોઈને કોઈ રોગથી માણસ પીડાતો હોય છે. એવા માણસો ગામમાં પણ મળે, શહેરમાં પણ મળે. ગામમાં ઓછા હોય અને શહેરમાં વધારે હોય એમ બને પણ મળશે દરેક જગ્યાએ. ધરતીનો કોઈ ખૂણો એવો નથી, જ્યાં રોગી ન હોય.
એ પણ હકીકત છે કે જેટલો આરામ વધારે, રોગ એટલો જ આક્રાંત હશે. જે શ્રમ કરશે તે મોટે ભાગે વ્યાધિથી બચી જશે. બહારથી જોઈએ તો રોગનું કારણ ગંદકી અને અસ્વચ્છતા છે. કીટાણુઓને વિકસવાની અને પ્રસરવાની તક મળે છે. ભીતર જોઈએ તો રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, મોહ આ રોગના કારણ છે. આ સર્વ મહારોગના જન્મદાતા છે. બહારનાં કારણોથી તો નાના રોગ થાય છે.
મેલેરિયા, કોલેરા, શરદી, તાવ આદિતો બહારની ગંદકીથી આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૧)
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org