________________
આજે ઘણાં અપરાધો થાય છે. ચોરી, ધાડ તો સાધારણ વાત છે. જાતજાતનાં નાણાકીય કૌભાંડ કરનારાઓ સીધા અર્થમાં ચોર-લૂંટારાની શ્રેણીમાં આવતા નથી. આવા લોકોને સફેદ ઠગ કહેવાનો રિવાજ છે. ઊજળાં વસ્ત્રોમાં શેતાનીયત છુપાવીને ફરનારા લોકો સમાજમાં, દેશમાં આવા સફેદપોશ લોકોની સંખ્યા નિરંતર વધતી જાય છે.
સંગ્રહ કઈ રીતે કરવો? એનો એક ન્યાયિક પક્ષ છે. સંગ્રહ એટલો થાય કે જેનાથી તે પોતાનું જીવન ચલાવી શકે, બીજાને પણ યથાશક્તિ મદદ કરી શકે. આ દૃષ્ટિએ થયેલો સંગ્રહ કંઈક અંશે ન્યાયોચિત્ત ગણાય. પણ માણસની સહજ વૃત્તિ છે કે સંગ્રહની આકાંક્ષા ઉત્તરોત્તર વધતી જાય છે. શરૂ થયા પછી બેલગામ થતી જાય છે. જેમ-તેમ ધન કમાવવાની ફોર્મ્યુલા શરૂ થાય છે. સાધનશુદ્ધિની વાત ગૌણ થઈ જાય છે. સાધ્ય તો શુદ્ધ હોવું જોઈએ, સાથે સાથે સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. ધનપ્રાપ્તિ કોઈ પણ ભોગે કરવી તે રીત નીતિ મુજબ માન્ય નથી. ઉદ્દેશ સેવાનો હોય તો પણ સેવા અર્થે અર્જિત થયેલું ધન નીતિમાન્ય હોવું જોઈએ. સાચા રસ્તે આવેલું ધન સત્કાર્યમાં વપરાવું જોઈએ. ધન યોગ્ય માર્ગેથી આવેલું હોવું જોઈએ એટલે જ સાધનશુદ્ધિની વાત મહત્ત્વની થઈ જાય છે. સાધ્ય શુદ્ધ તેમ સાધન પણ શુદ્ધ એવો આગ્રહ મનુષ્યની સાચી પરીક્ષા કરનારો છે.
આપણા સામાજિક વ્યવહાર માટે આપણે બે પ્રશ્નો પર વિચાર કરીએ કે માણસ સંગ્રહ કેમ કરે છે? અને કઈ રીતે કરે છે? આ બંનેની વ્યાપક મીમાંસા જરૂરી છે. આજે તો સર્વક્ષેત્રે નૈતિકતાનું વિસ્મરણ થઈ રહ્યું છે. અનૈતિકતાની જ બોલબાલા છે. વિષમતાની આવી સ્થિતિમાં આવા પ્રશ્નો થાય તે જરૂરી છે. આપણે આવા મૂળગામી પ્રશ્નો પર વિચાર કરીએ. સંગ્રહનો ઉદ્દેશ, સંગ્રહની રીત અને સંગ્રહ એક સમસ્યા તરીકે આપણી વિચારણાનો ભાગ બને તે જરૂરી છે. ઉપરોક્ત બે પ્રશ્નો પર અમારે અને આપે ગંભીરતાથી વિચાર કરવાનો છે.
૮ જૂન
૬૮
મહાપ્રજ્ઞ વાણી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org