________________
શક્તિઓને જાગૃત કરી શકીએ અને કઈ રીતે સુષુપ્ત પ્રકોઠોને જાગૃત કરી શકીએ એ વિધિ સમજવાની છે.
જે વ્યક્તિઓએ શ્વાસપેક્ષાનો અભ્યાસ કર્યો, કાયોત્સર્ગનો અભ્યાસ કર્યો છે અને અનુપ્રેક્ષાનો અભ્યાસ કર્યો છે. તે મસ્તિષ્કને સક્રિય અને જાગૃત કરવાની દિશામાં પ્રસ્થાન કરી શકે છે. પ્રથમ વાત તો એ છે કે આપણી એક અવધારણા થાય કે આપણા મસ્તિષ્કમાં અસીમ શક્તિઓ છે. આપણે તેનાથી પરિચિત ન હોઈએ એટલે તેનો વિકાસ થતો નથી એટલે જ સુષુપ્તાવસ્થામાં રહે છે. પ્રથમ તો આ દષ્ટિ સાફ હોવી જોઈએ. જયારે દૃષ્ટિ સાફ થઈ જાય તો પછી એ પ્રયત્ન થવો જોઈએ કે મસ્તિષ્કની શક્તિ કઈ રીતે પ્રગટ કરું? એના માટે પ્રશિક્ષણની જરૂર હોય છે. આપણે જાણીએ છીએ કે હાથીને પણ પ્રશિક્ષિત કરી શકાય છે. સિંહ, વાઘ આદિ પ્રાણીઓને પણ પ્રશિક્ષિત કરી શકાય છે. આજે તો વૈજ્ઞાનિકો ઉંદરોને પણ તાલીમ આપે છે. બિલાડી, વાંદરા, કૂતરાં અને ઘોડાને પણ તાલીમ આપી શકાય છે. હમણાં એક સમાચાર વાંચ્યા કે વિદેશી નસ્લનો એક કૂતરો વીસ લાખ ડૉલરમાં એક જાસૂસી સંસ્થાએ ખરીદ્યો. ઉંદરોના માથે ન્યૂટ્રોન લગાડીને જોયું તો તે એટલો આક્રમક થઈ ગયો કે બિલાડી પણ પૂંછડી દબાવીને ભાગી ગઈ. શક્તિમાં ખૂબ વધારે વૃદ્ધિ કરી શકાય છે, પ્રયોગ અને પ્રશિક્ષણ દ્વારા. માણસના મસ્તિષ્કમાં એટલી વધારે શક્તિ છે કે તે કલ્પનાતીત વિકાસ કરી શકે છે.
જે વ્યક્તિએ અનુપ્રેક્ષા દ્વારા મસ્તિષ્કની શક્તિઓને જાગૃત કરી છે, એ કદી દુઃખનું રુદન નહિ કરે. માણસની આદત છે કે થોડી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એ દુઃખી થઈ જાય છે. જેની પાસે શક્તિનો અસીમ ભંડાર છુપાયેલો છે, શક્તિશાળી મસ્તિષ્ક છે, એ દુઃખનાં રોદણાં રડે તો આ એક વિડંબનાપૂર્ણ વાત છે, કારણ એ જ છે કે માણસ પોતાની શક્તિથી અજાણ છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરો, એનું તાત્પર્ય એ જ છે કે શક્તિ અને સામર્થ્યને સમજવાનો પ્રયત્ન કરો. અગર આપણને એ જાણ થાય કે આપણા મસ્તિષ્કના કથા પ્રકોષ્ઠમાં કઈ શક્તિ છે અને તેને કઈ
૬૬
મહાપ્રજ્ઞ વાણી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org