SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તો પ્રતિક્રિયાત્મક હિંસાને ઉભરવાની તક મળી હોત. પ્રતિક્રિયાત્મક હિંસા એટલા માટે ઉભરે છે કે એક વર્ગ એવો છે કે એની પાસે એટલું બધું છે કે ક્યાં રાખવું એ એક મોટો પ્રશ્ન છે અને એક વર્ગ એવો છે કે જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે પણ કાંઈ નથી. વિચિત્ર વાત છે કે માણસ ખાય છે અનાજ અને સંગ્રહ કરે છે ધનનો. જેની પાસે ખાઘસામગ્રીનો ભંડાર છે, એ પણ સોના-ચાંદીના ભંડાર ભરવાના પ્રયાસમાં મગ્ન છે. શેખ સાદીએ લખ્યું છે, ‘એક વખત હું બસરાના રણમાં અટવાયો. ઘણા દિવસ ભૂખ-તરસના કારણે હેરાન થયો. ખૂબ ભટક્યો પછી એક દિવસ મને એક મોટો થેલો મળ્યો. હું તો ખૂબ પ્રસન્ન થઈ ગયો એ વિચારે કે એમાં ઘઉંના દાણા હશે, પણ જોયું તો મોતી અને સુવર્ણમહોરો હતી. હું નિરાશ થયો.’ માણસ હીરા, પન્ના, માણેક, મોતી ખાતો નથી, પણ એનો સંગ્રહ કરે છે. સંગ્રહ માણસ કેમ કરે છે ? આવશ્યક્તા ઉપરાંતનો સંગ્રહ કરવાનું કારણ છે લોભ. ઇચ્છા અને લોભ પર નિયંત્રણ કઈ રીતે થાય ? અમુક મનોવૃત્તિઓ પર નિયંત્રણ કઈ રીતે થાય ? તેનો પરિષ્કાર કઈ રીતે થાય ? પરિષ્કારનો ઉપાય છે અધ્યાત્મવિદ્યા અને યોગવિદ્યા. એના દ્વારા પરિષ્કાર થઈ શકે છે. જે વ્યક્તિએ પ્રેક્ષાધ્યાન કરેલ છે એ પરિષ્કાર કરી શકે છે. નિયંત્રણની ચાવી આપણી અંદર છે. મસ્તિષ્ક્રિય પ્રશિક્ષણ દ્વારા આ ચાવી આપણે હાથ લાગી શકે છે. મસ્તિષ્કમાં ઘણા પ્રકોષ્ઠ છે. આપણે અસંખ્ય કામ મસ્તિષ્ક દ્વારા કરાવી શકીએ છીએ. સામાન્ય રીતે મનુષ્યનું મસ્તિષ્ક એટલું વિકસિત હોતું નથી. ક્રિયાશીલ હોતું નથી. એને ક્રિયાશીલ કરવાની કલા અમારી પાસે છે. મસ્તિષ્કના ઘણા પ્રકોષ્ઠ સુપ્ત અવસ્થામાં રહી જાય છે. પ્રયોગ દ્વારા મસ્તિષ્કના પ્રકોષ્ઠને જાગૃત કરવાની વિધિ શીખીએ. દરેક જણ જાણે છે મનુષ્યના મસ્તિષ્કનો વિકાસ ચાર-પાંચ ટકાથી વધારે થયો હોતો નથી. હું સરેરાશ મનુષ્યની વાત કરી રહ્યો છું. માનવચિત્તની ક્ષમતા અને ઉપયોગિતા પાંચ ટકા કરતાં વધી જાય તો તો માણસ પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો માલિક ગણાય. વૈજ્ઞાનિક કે વિચારક બને. મસ્તિષ્કનો બહુ મોટો ભાગ તો સુષુપ્ત રહે છે. આપણે કઈ રીતે આપણી સુષુપ્ત સંગ્રહ : મૌલિક મનોવૃત્તિ Jain Education International For Private & Personal Use Only ૬૫ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy