________________
નથી એ આપણે જાણીએ છીએ તો પછી આવશ્યક્તા શું છે ? એટલે આપણે એમ કહી શકીએ કે માણસ આવશ્યકતાવશ સંગ્રહ કરે છે એ વાત જ ગૌણ છે. સંગ્રહનું સહુથી મોટું કારણ છે લોભ કે ઇચ્છા. ઇચ્છા લોભનો જ એક પ્રકાર છે. વ્યક્તિના મનમાં અને એથી પણ આગળ ચેતનાના સ્તર પર એક ઇચ્છા છે, આકાંક્ષા છે. માણસ કંઈક મેળવવા ઇચ્છે છે. ઇચ્છા પ્રાણીનું લક્ષણ છે. જેનામાં ઈચ્છા નથી એ પ્રાણી નથી. રેલ પાટા પર ચાલે છે. પાટાથી નીચે ઉતરી જાય તો દુર્ઘટના થાય છે. એક કીડી પણ પાટા પર ચાલતી હોય પણ ઈચ્છા થાય ત્યારે તે પાટા પરથી ઉતરીને પણ ચાલી શકે છે કારણ કે એ પ્રાણી છે અને પ્રાણીમાં ઇચ્છા છે.
આવશ્યકતા, ઈચ્છા, લોભ - આ સામાજિક વ્યવહારના કારણ બને છે. લોભ એક સંજ્ઞા છે, એ સંગ્રહનું કારણ છે. આ સંદર્ભમાં એક જૂની ઘટના છે. વાદળોથી ઘેરાયેલી અંધારી રાત. વરસાદ ચાલુ હતો. વીજળી પણ ચમકતી હતી. સમ્રાટે પોતાની અટારીએથી જોયું કે દૂર જંગલમાં એક માણસ ઝાડ પર ચઢીને લાકડું કાપી રહ્યો છે. સમ્રાટને વિચાર આવ્યો કે મારા રાજયમાં સામાન્ય માણસની આ તે કેવી સ્થિતિ છે કે અંધારી વરસાદી રાતે જીવનનિર્વાહ માટે કામ કરવું પડે છે. અગર આમ જ હોય તો તો પછી મારું શાસક હોવું વ્યર્થ છે. પ્રાચીનકાળમાં શાસકો આવું ચિંતન કરતા હતા કે મારા રાજયમાં લોકો દુઃખી હોય તો મારું રાજા હોવું વ્યર્થ છે. આજે એવી ચિંતા કોણ કરે છે?રાજા શ્રેણિકે એવું વિચાર્યું કે અગર મારી પ્રજાની સ્થિતિ આટલી દયનીય છે તો પછી મારા શાસક હોવાનો અર્થ નથી. જે રાજ્યમાં પ્રજાને પેટપૂરતું ભોજન ન મળે તો એને સંવેદનશીલ રાજ્ય ન કહી શકાય. એવા રાજ્યને નિર્દયી રાજય જ કહેવાય. કાલે અમે જે ગામમાં હતા, ત્યાંના સરપંચ અને બીજા લોકો આવ્યા. અમે એમને પૂછ્યું કે આપના ગામની સ્થિતિ શી છે? એમણે જણાવ્યું કે અમારા ગામમાં કોઈ ભૂખ્યું સૂતું નથી. આ એક સારા ગામનું લક્ષણ છે.
સમ્રાટે તત્કાળ મહામાત્ય અભયકુમારને બોલાવ્યા. તેઓ આવ્યા. સમ્રાટે કહ્યું, “મંત્રીવર્ય! હું આપણા રાજયની સ્થિતિથી ચિંતિત છું. પ્રજા સુખી છે એમ
સંગ્રહ મૌલિક મનોવૃત્તિ
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org