________________
સંગ્રહ : મોલિક મનોવૃત્તિ
માણસનું બધું કામ વ્યવહારના આધારે ચાલે છે. એક માણસ પોતાને માટે કે અન્યને માટે વ્યવહાર કરે છે. એક પ્રશ્ન છે - માણસ વ્યવહાર કેમ કરે છે? સામાજિક વ્યવહારનો હેતુ શો છે? આ પ્રશ્નો પર વિચાર કરીએ તો બે શબ્દ આપણી સામે આવે છે - કેમ કરે છે અને કઈ રીતે વ્યવહાર કરે છે? આ સંદર્ભમાં ધર્મના લોકોએ પણ ખૂબ વિચાર્યું છે. સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓએ પણ ખૂબ વિચાર્યું છે. ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે માણસ સંગ્રહ કેમ કરે છે? મનુષ્યની વાત છોડીએ કીડી પણ સંગ્રહ કરે છે. કીડી સંગ્રહ કેમ કરે છે? સંગ્રહ એક સમસ્યા છે, છતાં પણ માણસ સંગ્રહ કરે છે.
આવશ્યકતા પૂર્તિ એક સામાજિક ન્યાય છે પણ અનાવશ્યક સંગ્રહની બાબતમાં પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે. ધાર્મિક કે દાર્શનિક દૃષ્ટિએ એવું સમાધાન શોધાયું કે મનુષ્યમાં લોભની વૃત્તિ છે. માણસ લોભવશ સંગ્રહ કરે છે. મનુષ્ય આવશ્યક્તાવશ સંગ્રહ કરે છે એ સમાજશાસ્ત્રીય અભિગમ છે પણ બને છે એમ કે આવશ્યકતા ન હોવા છતાં માણસ બિનજરૂરી સંગ્રહ કરે છે. આવશ્યકતા પ્રમાણે જ સંગ્રહ થતો હોત તો કોઈ અબજપતિ-ખર્વપતિ ન હોત. જીવનવ્યવહાર ચલાવવા કરોડોની સંપત્તિની આવશ્યકતા
મહાપ્રજ્ઞા વાણી - ૬
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org