________________
કરવાનું આપ શીખી જાવ તો સંજીવની સાબિત થશે. કોઈ અધ્યયન નહીં, શાળાએ જવાનું નથી. માત્ર ઘરે બેઠા પ્રયોગ કરવાનો છે. એમાં શ્વાસ પહેલું સાધન બનશે. શ્વાસમાં મોટો ચમત્કાર છે. શ્વાસ ગરમ પણ હોય છે, ઠંડો પણ હોય છે. ડાબા નાકથી શ્વાસ લઈએ તો જમણું મસ્તિષ્ક સક્રિય થશે અને જમણા નાકથી લઈએ તો ડાબુ મસ્તિષ્ક સક્રિય થઈ.
હું માનું છું કે એટલી સમજ તો હોવી જોઈએ કે જીવન મૂલ્યવાન છે. મહાતપસ્યાનું ફળ છે આ માનવજીવન. એને અણસમજમાં ગુમાવી દેવાનું નથી. જીવનની સાથે જુલમ કરવાનો નથી. આ શરીર દ્વારા જ સઘળા પુરુષાર્થ સિદ્ધ કરવા છે. જ્યારે આ શરીરની જ ઉપેક્ષા કે અવહેલના થશે તો સાથી અને સહાયક કોણ બનશે?
આજની સમસ્યાએ છે કે બધું સરકાર અને વિદ્યાલયો પર નિર્ભર થઈ ગયું છે. રોજી-રોટી કમાવવા માટે વિદ્યાલયોનું ભણતર કામ આવી શકે પણ જીવન-નિર્માણનું ઘડતર તો આપણને બાહ્ય જીવનમાંથી, રોજ-બરોજના અનુભવોમાંથી શીખવાનું છે. સ્કૂલનું શિક્ષણ ઘણી વિસંગતિ જન્માવે છે. સ્કૂલ અને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી માણસ જાણે ગામડાનો રહેતો નથી. ખેતી કે પશુપાલનનું કામ કરવામાં નાનમ લાગે છે. સ્ટેટસ બદલાઈ જાય છે. ઉચ્ચ શિક્ષિત માણસ ઘરેલું કામ કરવામાં પણ પછી નાનપ અનુભવે છે. ડોક્ટર કે એન્જિનિયરની પત્ની કે પરિવારના લોકો ખેતીવિષયક કામ કરવામાં પોતાની પ્રતિષ્ઠાની વિરુદ્ધ ગણે છે. દરેક કામ માટે નોકરચાકર હોય છે. શરીરશ્રમ ઓછો થઈ જાય છે અને જાતજાતની બીમારીઓ શરીરને ઘેરી વળે છે.
હમણાં જ એક સર્વે મુજબ એવું તારણ નીકળ્યું છે કે દર વર્ષે ચાલીસ હજાર શિક્ષિત બેરોજગાર બહાર પડે છે. સરકાર સહુને રોજગારી કઈ રીતે પૂરી પાડે ? આ તો રાજસ્થાનની વાત છે. દેશમાં શિક્ષિત બેરોજગારની સંખ્યા લાખોમાં છે. બેરોજગારોની બહુ મોટી ફોજ છે, જે કામની તલાશમાં છે. નોકરી શોધે છે. શ્રમિકનું કામ જે કરી શકતા નથી કે કરવા ઇચ્છતા નથી તે ગેરમાર્ગે દોરાય એવી પણ સંભાવના છે અથવા તો હતાશ થઈ જશે. પૈસા માટે થઈને ખોટે
મહાપ્રજ્ઞ વાણી -
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org