________________
લાભદાયક નથી. લોકો ગરમીમાં ફ્રિજનો ઉપયોગ કરે છે. આ એક ઉપકર છે જે વસ્તુને સારી રીતે જાળવી રાખે છે, પણ તે અનેક પ્રકારની બીમારીઓ પણ ઊભી કરે છે. ફ્રિજ બીમારીનો અડ્ડો છે. તે અનેક પ્રકારના જીવાણુઓ અને બેક્ટેરિયાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.
આપ ઇચ્છો તો આપના મસ્તિષ્ક દ્વારા આ ફ્રિજ શરીરમાં જ બનાવી શકો છો. આ ફ્રિજ પૂરેપૂરું રોગના અણુઓથી મુક્ત હશે. મનની શાલિનતા વધારવા શ્વાસ લેવાની પ્રક્રિયાને પદ્ધતિસર, હમણાં જણાવ્યું તેમ દોહરાવવામાં આવશે તો અપૂર્વ શાંતિનો અનુભવ થશે. મુશ્કેલી એ છે કે સાધનોની આદત માણસને એટલી હદે પડી ગઈ છે કે એ શરીરને કોઈ પણ પ્રકારની ઝંઝટમાં મૂકવા માગતો જ નથી. શારીરિક ક્રિયા કર્યા વગર સીધો જ આરામ અને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. રૂપિયાથી સગવડતા ખરીદનાર માણસ શ૨ી૨ને શ્રમ દ્વારા સહેજ પણ સ્વસ્થ રાખવા ઇચ્છતો નથી. શરીરને કેળવવાની તેને કોઈ તમા જ નથી. અતિશય ધન કમાવવા માટે એ સ્વાસ્થ્ય ગુમાવે છે અને સ્વાસ્થ્ય પાછું મેળવવા પાછો ધન વેડફે છે.
આપણે ત્યાં યોગવિદ્યા ખૂબ પ્રાચીન છે. આપણા શરીરમાં જ એવી વ્યવસ્થા છે કે આપણે રોગમુક્ત રહી શકીએ. આપણે આજે પણ એવા ઘણા માણસોને જોઈએ છીએ કે જેઓ ડૉક્ટર પાસે જીવનમાં ક્યારેય ગયા ન હોય. ઘણી લાંબી આયુ પ્રાપ્ત કરી હોય અને આ દુનિયામાંથી યોગીની જેમ વિદાય લીધી હોય.
ગામડાંઓમાં પણ પ્રેક્ષાધ્યાન અને અહિંસા પ્રશિક્ષણનાં કેન્દ્ર ચાલવા જોઈએ. આનાથી મોટો ફાયદો મળી શકે છે. સહુને ખબર છે કે આજની ચિકિત્સા પદ્ધતિ કેટલી ખર્ચાળ છે. એક સાધારણ ગોળી પણ એક રૂપિયાથી ઓછી કિંમતની નથી. પંદર-સોળ હજારની કિંમતના તો ઇન્જેક્શન આવે છે. શહેરનાં મોંઘા ચિકિત્સાલયોમાં સારવાર લેવાનું સાધારણ વ્યક્તિ માટે મુશ્કેલ છે. એક દિવસનો ખર્ચ હજારો રૂપિયામાં આવે છે. ગામડાંનો સાધારણ માણસ તો વિચાર પણ ન કરી શકે. અગર વગર પૈસાનું આ પ્રશિક્ષણ અને પ્રયોગ પ્રવૃત્તિ અને પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org