________________
કરે છે એ પોતાના આવેશને નિયંત્રિત કરવામાં સફળ થાય છે.
જર્મનીની બાબતમાં કહેવાય છે કે ત્યાં કોઈ ગુસ્સામાં કે આવેશમાં આવીને ક્રિમિનલ કેસ કરે તો ત્યાંના ન્યાયાધીશ તત્કાળ તેનો સ્વીકાર કરતા નથી. એકબે દિવસ મોડું કરીને એના પર ફેરવિચાર કરવાનો આદેશ આપે છે. એક-બે દિવસ પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે છે. ગુસ્સો શાંત થઈ જાય પછી તે કેસ દાખલ કરતો નથી. ભારતની અદાલતોમાં કેસોની ભરમાર છે. મોટા ભાગના કેસ આવેશજનિત કાર્યોના કારણે છે. લગભગ ચાલીસપિસ્તાલીસ ટકા મામલા તો એવા જ હોય છે, જે ક્રોધ અને આવેશના કારણે જ કોર્ટ સુધી પહોંચે છે.
પ્રશ્ન થાય છે કે આવેશ પર નિયંત્રણ કઈ રીતે કરીએ? એની એક સરળ વિધિ છે. શ્વાસ લેવાની કળા. શ્વાસ તો બધા જ લે છે પણ તેની એક વિશેષ કળા છે. ટૂંકો શ્વાસ ગુસ્સો વધારે છે. દીર્ઘ શ્વાસ લેવાથી ગુસ્સો શાંત થાય છે. શ્વાસ લાંબો લેવો અને છોડવો. આ કોઈ કષ્ટસાધ્ય પ્રયોગ નથી. કોઈ પણ વ્યક્તિ સરળતાથી આ પ્રયોગ કરી શકે છે. લાંબા શ્વાસની એક મિનિટમાં વધારામાં વધારે દસ શ્વાસની આવૃત્તિ થાય છે. લાંબો શ્વાસ આપણા મસ્તિષ્ક પર લગામ રાખે છે. મસ્તિષ્કને નિયંત્રણમાં લેવા માટે ગુસ્સો આવે ત્યારે જમણી બાજુના નાકને બંધ કરી લાંબા શ્વાસ લેવા. બે મિનિટ આમ કરવાથી ગુસ્સો શાંત થઈ જશે. આ પ્રયોગને રોજ એકાધિક વખત કરવાથી ગુસ્સો આવવાનો જ બંધ થઈ જશે. આ એક સીધો - સરળ પ્રયોગ છે.
આ ગરમીની સિઝન છે. જમણા નાકનો જે સૂર્ય સ્વર છે એને બંધ કરો અને ડાબા નાકનો જે ચંદ્ર સ્વર છે, ત્યાંથી શ્વાસ લેવાનું શરૂ કરીએ. થોડી વારમાં આરામનો અનુભવ થશે. એરકન્ડિશન ભલે આરામદાયક લાગે, પણ તે નુકસાનકારક છે કારણ કે તે પ્રકૃતિજન્ય નથી. કૂલર અને એ.સી.ના પ્લાન્ટ તો આપણા શરીરમાં જ છે. જરૂર છે આપણે તેનો પ્રયોગ કરતા શીખીએ. એ આપણા શરીરને દરેક રીતે લાભ પહોંચાડશે. શરીર અને મન બંનેને શાંત અને સ્વસ્થ રાખશે. કૃત્રિમ સાધન સારા અને સુખકર લાગે છે, પણ વાસ્તવમાં તે
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org