________________
શરૂ કરી ઝઘડાની ભૂમિકા સર્જી પોતે પીછેહઠ કરે છે અને સાથેના લોકો માર ખાય છે.
ક્રોધમાં માણસ ભાન ગુમાવે છે. પતિ પત્નીને કહી દે છે “જતી રહે તારા ઘેર. મારે તારી જરૂર નથી.” બાપ દીકરાને કહી દે છે, “જા ડૂબી મર.” હું સમજીશ કે મારે સંતાન જ નહોતું, તું ચાલ્યો જા.” - પણ બે ચાર-દિવસ થાય અને આવેશ શાંત થાય કે પસ્તાવો શરૂ થાય છે. ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગ આવે છે કે રાજાએ આવેશમાં આવીને મંત્રીને દેશનિકાલની સજા કરી હોય પછી આખી વ્યવસ્થામાં અરાજક્તા થાય કે અનુભવી મંત્રીની યાદ આવે અને વળી પાછા બોલાવવા માટે તપાસ થાય.
રાજા બનવીરે રાજ્યના લોભમાં પોતાના પિતરાઈલઘુબંધુને, જે રાજ્યનો સ્વાભાવિક ઉત્તરાધિકારી હતો એની હત્યાનું પડ્યુંત્ર રચ્યું. છલપૂર્વક રાજ્યને હસ્તગત કરી પોતાના ભાઈને વધ કરનારાના હાથમાં સોંપી કહ્યું કે, “આને લઈ જાવ અને ઘોર જંગલમાં જઈ એનો વધ કરી દેજો.” જલ્લાદો તો આદેશાનુસાર લઈ ગયા. કિશોર ભાઈએ કહ્યું કે, “મરતા પહેલાં હું મારા ભાઈને સંદેશો આપવા ઇચ્છું છું. મને કાગળ અને કલમ આપો.” જલ્લાદોએ બંને વસ્તુ આપી. ભાઈએ લખ્યું, “પૃથ્વી પરથી અનેક સમ્રાટો, મહારાજાઓ આવીને જતા રહ્યા છે. સમુદ્ર પર પુલ બાંધનાર મહારાજા રામ પણ જતા રહ્યા. પૃથ્વી કોઈની સાથે નથી ગઈ. લાગે છે કે આપની સાથે જશે. અન્યથા આ ધરતી માટે આટલું મોટું જઘન્ય પાપ શું કામ કરો?”
કહેવાય છે કે ત્રણ-ચાર પંક્તિના અંતિમ સંદેશથી રાજાની આંખ ખૂલી ગઈ. પોતાના કૃત્યને યાદ કરીને તે ખૂબ કલ્પાંત કરવા લાગ્યો. પરિણામનો વિચાર કર્યા વગર થયેલું કાર્ય હંમેશાં દુઃખદાયક હોય છે. એટલે જરૂરી એ છે કે કોઈ કાર્ય કર્યા પહેલાં એના પર વિચાર કરવો જોઈએ. અત્યારે ગરમીની ઋતુ છે. ગરમી અનિવાર્યપણે આવેશમાં વૃદ્ધિ કરે છે. પરસેવે રેબઝેબ થઈને આવેલા કોઈ શ્રમિકને કોઈ સહેજ અપ્રિય વાત કરે તો તેને ગુસ્સો આવવાનો છે. નશીલી વસ્તુઓનું સેવન પણ આવેશ વધારે છે. પણ જે પરિણામનો વિચાર પ્રવૃત્તિ અને પરિણામ
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org