________________
પહોંચીને સૂકી ધરતી પર હળ ચલાવવાનું શરૂ કરી દીધું ત્યાં આકાશવાણી થઈ. ઇન્દ્રદેવ બોલ્યા, ‘ખેડૂતો ! કેમ વ્યર્થ શ્રમ કરી રહ્યાં છો ?હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે બાર વર્ષ સુધી વરસાદ નહિ થાય. શું તમે સાંભળ્યું નથી ?'
ખેડૂતોએ કહ્યું, ‘અમે આપની ઘોષણા સાંભળી છે. આપ વરસો કે ન વરસો. અમે અમારું કર્મ કેમ કરી છોડીએ ? અગર અમે ખેતરમાં હળ ચલાવવાનું છોડી દઈશું તો અમારી ભાવિ પેઢી હળ ચલાવવાનું જ ભૂલી જશે. હળ ચલાવવાની તાલીમ એમને કઈ રીતે મળશે ? એટલે અમે અમારું કામ કરીશું. આપ આપની મરજીના માલિક છો. વરસો કે ન વરસો.’
ખેડૂતોનો દૃઢ સંકલ્પ જોઈને ઇન્દ્રએ પોતાની ઘોષણા પાછી લીધી. વરસાદ શરૂ થઈ ગયો.
પરિણામનો વિચાર કરો અને સંકલ્પનો ત્યાગ ન કરો. સંકલ્પ છોડી દેવો એટલે નિષ્ફળતાનો સ્વીકાર. પરિણામનો વિચાર થશે તો આદતોમાં પરિવર્તન આવશે. ક્રોધના કારણે વિવાદ અને લડાઈ ઝઘડા થાય છે. શારીરિક-માનસિક બીમારીઓનું કારણ પણ ક્રોધ જ છે. આજનું મેડિકલ સાયન્સ કહે છે કે એક વખતનો તીવ્ર ગુસ્સો માણસનું નવ કલાકનું આયુષ્ય ઘટાડે છે. ક્રોધનો હાર્ટ, લીવર અને સ્નાયુઓ પર વિપરીત પ્રભાવ પડે છે. લોહીનું દબાણ વધી જાય છે અને વિવિધ મનોકાયિક બીમારીઓ પેદા થાય છે. પરિણામે આપણી શારીરિક અને માનસિક શક્તિ કમજોર થઈ જાય છે એટલે પરિણામ પર વિચાર કરવો આવશ્યક છે. પરિણામ તો અવશ્યભાવી છે. કદાચ તે અન્યએ ભોગવવું પડે. એમ પણ કહેવાયું છે કે
જિવા ઐસી બાવરી, કહ ગઈ સરગ-પતાલ. આપહિ તો ભીતર ગઈ, જૂની ખાત કપાલ.
જીભ તો અનાપ-શનાપ કહીને અંદર જતી રહી પરિણામ ભોગવવાનું આવે છે હાથ, પગ અને કપાળને. ગાળ બોલે જીભ અને માર ખાય માથું. અમુક લોકો વિઘ્નસંતોષી હોય છે. લડાઈ-ઝઘડામાં એમને આનંદ આવે છે. વિવાદ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org