________________
પૃષ્ઠભૂમિ તો એમણે તૈયાર કરી. પેટ્રોલ વગર વાયુયાન ઉડાડવું એ કાંઈ સહેલી વાત નથી.
શીખવાના અનેક સાધન છે. શીખવાના એક સાધન, જેના પર આજે આપણે વિચાર કરીએ, એ છે પરિણામ. પરિણામ અર્થાત્ ફળ શું હશે? મનોવિજ્ઞાનમાં એને કહેવાય છે, “નોલેજ ઓવરિઝલ્ટ' – પરિણામનું જ્ઞાન હોવું જરૂરી છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતો અને તેનો ભાઈ સાધુ હતો. એણે ભાઈને કહ્યું, વિષયો પ્રત્યે તારી આસક્તિ વધારે છે જે તારા માટે હિતકર નથી એટલે તું આ આસક્તિ છોડી દે.”
બ્રહ્મદરે કહ્યું, હું તેમાં રમમાણ છું. હવે તે મારાથી છૂટે એ સંભવ નથી એટલે સાધુચરિત ભાઈએ કહ્યું, “પ્રિય તો તને લાગી રહ્યું છે, પણ એના પરિણામને વિષે વિચાર કર.'
અત્યારે ગરમીની ઋતુ છે. પાણીમાં બરફ મેળવીને પીવાનું સારું લાગે છે. ઘણા લોકો બરફના પાણી વગર ચલાવી શકતા નથી. પરિણામ એ આવે છે કે ડૉક્ટરના શરણે જવું પડે છે. બરફના કારણે શારીરિક વિકાર ઉત્પન્ન થાય છે પણ પ્રિયતાના કારણે માણસ પરિણામની પરવા કર્યા વગર આચરણ કરે છે.
ગુરુદેવશ્રી તુલસીજી સરદાર શહેરમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન હતા. એ સમયે આપણા સંઘમાં એક તપસ્વી સાધુ મુનિ સુખલાલજી વિદ્યમાન હતા. તેઓ ગુરુદેવની સેવામાં રહેતા હતા. તેઓ ગુરુદેવ માટે જલપાનની સેવા કરતા. તેઓ પાણી લાવતા અને ઠંડું કરીને લાવતા. પરિણામ એ આવ્યું કે થોડા દિવસમાં ગુરુદેવનો શ્વાસ ભારે થવા લાગ્યો. જે લોકો શ્વાસમાં ભારેપણું અનુભવે છે એમણે ઠંડા પાણીથી બચવું જોઈએ. ઠંડું પાણી સારું લાગે પણ તેનું પરિણામ પ્રતિકૂળ હોય છે. આવેશમાં ગાળ આપીને મન હળવું કરનારે અનુકૂળ પરિણામોની આશા રખાય નહિ. પરિણામ સ્વરૂપે પ્રતિપક્ષના પ્રતિકાર માટે તૈયારી રાખવી પડે. મારપીટ શરૂ થઈ જાય. માથા ફૂટે, હાડકાં તૂટે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચે. વર્ષો સુધી કોર્ટ-કચેરી થાય અને વકીલને પૈસા આપવાના થાય એ વધારાનું. ક્યારેક તો તાત્કાલિક પરિણામ નથી આવતું, પણ અંદરથી
૫૨
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org