________________
પ્રવૃત્તિ અને પરિણામ
કેળવણી દરેકને માટે જરૂરી છે. શાળામાં જઈને ભણવાથી પણ શીખવા મળે છે. જ્ઞાન વધે છે. કોઈ કામ કરતાં કરતાં પણ શીખે છે. જૂના જમાનામાં શાળાશિક્ષણની પ્રથા આટલી માત્રામાં ન હતી પણ ખેડૂતનો પુત્ર કામ કરતાં કરતાં ખેડૂત બનતો. શિલ્પીનો પુત્ર શિલ્પી બનતો. અનુભવ માણસને ઘણું શીખવે છે. આજે પણ ગામના માણસ પાસે જેટલા અનુભવ છે, એટલા કદાચ શહેરના માણસ પાસે નથી. નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે છતાં પણ જૂના માણસોના અનુભવ નકામા નથી થયા, બલકે વધારે કામ આવે છે. શીખવાનું કોઈ એક સાધન નથી હોતું. પુસ્તક વાંચવું એ સાધન છે તો અનુભવ અને સંચિત જ્ઞાન પણ એક સાધન છે.
પ્રાચીન સાહિત્યમાં કોકાસ નામના એક મિસ્ત્રીનો પ્રસંગ આવે છે. તે પોતાના કામમાં એટલો કુશળ થઈ ગયો હતો કે વિમાન બનાવી આકાશમાં ઉડાડ્યું. હવાઈ જહાજના શોધક વિલ્વર અને ઓરવિલ પણ મિસ્ત્રી હતા. સાઈકલ રિપેરિંગનું કામ કરતા હતા. અનુભવે એમને પ્રેરણા આપી અને એક દિવસ એમણે જાતે બનાવેલા હવાઈ જહાજનું પ્રદર્શન કર્યું. એમણે બનાવેલું હવાઈ જહાજ
વધારે સમય સુધી ઊડી શક્યું નહિ પણ યાન બનાવવાની પ્રવૃત્તિ અને પરિણામ
પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org