SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે, જેઓ હવાની લહેર પ્રમાણે પીઠ ફેરવે છે, જે લોકો દેશ કે સમાજ વિષે નહિ માત્ર પોતાનો જ વિચાર કરે છે. લોકતંત્રની આ મોટી સમસ્યા છે. આ સમસ્યા પર વિચાર કરતા અહિંસાના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર ચિંતન કરીએ તો જણાશે કે માનદંડ બદલવા જરૂરી છે. પરિવર્તન વિવેકથી કરવામાં આવે. કઈ વ્યક્તિને, કેવા ગુણોને આધારે કર્યું સ્થાન આપવું તેનો વિવેકનિર્ધારણ જરૂરી છે. જેની પાસે સત્તા છે એને ગૌણ કરવામાં આવે તો પણ કામ નહીં ચાલે. ધનવાનને મહત્ત્વ ન મળે તો પણ સમાજનું કામ ચાલતું નથી. સહુની જરૂર છે. કોઈને અવગણી શકાય નહિ પણ જ્યાં વ્યક્તિની મહત્તાનો પ્રશ્ન છે ત્યાં વ્યક્તિ મૂલ્યાંકન માટે સદાચારને જ આવશ્યક ગુણ ગણીએ. ધન, વૈભવ એ મહાનતા કે શ્રેષ્ઠતાના માપદંડ ન હોય, ન હોવા જોઈએ. બીમારી હોય તો ડૉક્ટર કે વૈદનું માર્ગદર્શન જ કામ આવશે, પંડિત કે પુરોહિતનું નહિ. ક્યાં કઈ વ્યક્તિનું માર્ગદર્શન લેવું, એના પૃથફ માનદંડ છે. આપણે પાછા એ જ વિષય હિંસા અને અહિંસા પર આવીએ. એ સંદર્ભમાં વ્યક્તિ અને સમાજ બંનેની સમસ્યા પર વિચાર કરીએ તો સહુથી પહેલા આપણે ભાષા-વિવેકનો વિચાર કરીએ. ભાષાનો વિવેક જ આપણને અહિંસા તરફ લઈ જશે. બીજી વાત-આચરણ. એ પણ કસોટી બની શકે. જેનું આચરણ નૈતિકતાયુક્ત છે એ અહિંસાની દિશામાં લઈ જઈ શકે છે. વાણીવ્યવહાર અને આચરણ - આ બંનેનું સમ્યફ પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. હું ઇચ્છું છું કે આપણા સમાજના લોકોમાં અને અન્ય સમાજોમાં પણ આ પ્રકારના પ્રશિક્ષણની શરૂઆત થાય. આ પ્રશિક્ષણ જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરનારું છે. એના પર ધ્યાન આપવામાં આવે તો જીવનની ઘણી મૂંઝવણોને સરળતાથી, સહેલાઈથી ઉકેલી શકાય છે. ૬ જૂન ૫૦ મહાપ્રજ્ઞ વાણી -૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy