________________
મુલ્લા નસીરુદ્દીન બાદશાહને ત્યાં રસોઇયા તરીકે નોકરીએ લાગ્યા. મુખ્ય રસોઇયા તરીકે તેમની નિયુક્તિ થઈ. પહેલા દિવસે ભીંડાનું શાક કર્યું. બાદશાહને સ્વાદિષ્ટ લાગ્યું. એમણે વખાણ કર્યા. મુલ્લાએ કહ્યું, “હુજૂર ! આ અમૃત છે અમૃત !” સાધારણ લોકોના નસીબમાં નથી. આ તો આપના જેવા બાદશાહ માટે જ સુલભ છે.
બીજા દિવસે વળી મુલ્લાએ ભીંડાનું શાક બનાવ્યું. બાદશાહે પ્રશંસા તો કરી પણ પહેલા દિવસ જેટલી નહીં.
ત્રીજા દિવસે વળી ભીંડાનું શાક બનાવ્યું. બાદશાહે કશું જ ન કહ્યું. ચૂપચાપ જમી લીધું. પણ ચોથા દિવસે ભીંડાનું શાક બનાવ્યું કે બાદશાહને ગુસ્સો આવ્યો અને થાળીનો જ ઘા કર્યો.
મુલ્લાએ કહ્યું, “જહાંપનાહ!” આ ઝેર છે ઝેર. બિલકુલ થર્ડ ક્લાસ. માણસ તો શું ગધેડા પણ ન ખાય !
બાદશાહે કહ્યું, “કમાલ છે નસીરુદ્દીન ! હમણાં બે દિવસ અગાઉ તમે અમૃત કહેતા હતા એ જ વસ્તુ આજે ઝેર થઈ ગઈ?! આખરે વાત શું છે? !!
મુલ્લાએ કહ્યું! હુજૂર !” હું આપનો ગુલામ છું. ભીંડાનો નહીં ! માલિકને પસંદ છે તો ભીંડો અમૃત છે, નાપસંદ છે તો ઝેર છે!
ચાપલૂસી હંમેશા કામ આવતી નથી. અમુક લોકોને ચાપલૂસી ગમે તો અમુક એવા પણ હોય છે કે તેમને ચાપલૂસી પસંદ હોતી નથી. એક જંગલની વાર્તા છે. વનરાજ સિંહને પ્રધાનમંત્રી પદે કોઈની નિયુક્તિ કરવાની હતી. પ્રાણીઓને એકઠા કર્યા. નિયુક્તિ પૂર્વે પરીક્ષા જરૂરી હતી. એમણે સર્વપ્રથમ ઘોડાને બોલાવ્યો. પૂછ્યું, “જણાવ કે મારા મુખમાંથી કેવી ગંધ આવે છે?
ઘોડાએ કહ્યું, “શું પૂછો છો મહારાજ!ભીની-ભીની સુગંધ આવી રહી છે, બિલકુલ એવી જાણે ગુલાબના ફૂલમાંથી આવતી હોય. પ્રધાનમંત્રીની પોસ્ટ પર નિયુક્તિ કરવાની હતી એટલે ઘોડો પૂરેપૂરી ચમચાગીરી પર ઉતરી આવ્યો હતો.
૪૮
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org