________________
તો કંઈક ઉપયોગી વાત થઈ શકે. “મોટા લોકોને લાવશો તો એમની વાત મને નહિ સમજાય, મારી વાત એમને કહેવાતા મોટા માણસોને નહિ સમજાય. બંનેનો સમય બગડશે.
મોટા માણસમાં પરિવર્તનની સંભાવના ખૂબ ઓછી હોય છે કારણ કે તે અહં અને મોટા હોવાની ભાવનાથી ગ્રસ્ત રહે છે. પરિવર્તન તો ત્યાં હોય છે જ્યાં અહંનો દરવાજો બંધ હોય છે.
અહિંસાના મૂલ્ય સામે મોટો પ્રશ્ન એ છે કે સમાજના માપદંડો કઈ રીતે બદલવા?વાસ્તવમાં જે મોટો છે એ પોતાની જાતને મોટા તરીકે નહિ ઓળખાવે. જ્યાં સુધી નાના-મોટા વિષેનો સ્થૂળ દૃષ્ટિકોણ રહેશે ત્યાં સુધી ભેદ ટકી રહેવાનો. પ્રકૃતિની ભિન્નતાને સૌંદર્ય ગણી શકાય પણ માણસની અસમાનતાને સુંદર ન ગણાય. નકારાત્મક ભાવો અને વિચારોને સુંદર ન ગણાય. આ નકારાત્મક ભાવો અને વિચારો જ સમસ્યા પેદા કરે છે. અગર આપણે વ્યક્તિને, સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને સમસ્યામુક્ત કરવા ઇચ્છીએ તો પછી માપદંડો બદલવા જરૂરી છે. એને બદલ્યા વગર સાર્થક પરિણામની આશા રાખી શકાય નહીં.
કસોટીઓને બદલવામાં થોડી મુશ્કેલી છે, કારણ કે મનુષ્યની આકાંક્ષા કસોટી બદલવા દેતી નથી. એક જૂનો શબ્દ છે “ચાપલૂસ.” આજનો શબ્દ છે “ચમચો'. આ ચમચો કસોટી બદલવા દેતો નથી. મોટો માણસ પોતાના વિષે અભિપ્રાય મેળવવા નીકળે તો તરત એને ચમચાઓ ઘેરી વળવાના. કહેવા લાગશે, “શું વાત છે શ્રીમાન ! લોકો તો આપની જયજયકાર કરે છે. એમ.પી.ની ચૂંટણી આવે એટલી વાર છે. ટિકિટ માટે પક્ષો આપને સામેથી પૂછવા આવશે. આ ક્ષેત્રમાં આપનો મુકાબલો કરનાર કોઈ નથી.”
વાસ્તવિકતા કદી સામે નહિ આવે. ચમચાઓનું આવરણ દૂર કર્યા વગર મોટો માણસ કદી પોતાની વાસ્તવિક સ્થિતિને જાણી શકતો નથી. ચાપલૂસ લોકો હંમેશા પોતાના માલિકની ઇચ્છાને પોષતા હોય છે.
હિંસાનું દ્વાર વાણીનો અસંયમ
૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org