SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારમાં જ ખર્ચાઈ જશે. વિવશતાના કારણે કદાચ તે નોકરી કરશે પણ હૃદયપૂર્વક કામ નહિ કરે. માલિકના ફાયદાની વાત કદી નહિ વિચારે. સારી ભાષા વાપરવાથી, સદ્વર્તનથી તેની શક્તિને પોષણ મળે છે. એક જ સારો શબ્દ તેની કર્મઊર્જાને વધારી પણ શકે છે અને એક જ ખરાબ શબ્દ તેની કાર્યશક્તિને મંદ કરી દે છે અને જે કાંઈ ક્ષમતા છે તેને પ્રતિક્રિયાત્મક રીતે વાપરવામાં કામે લગાડશે. વાણીનું વિજ્ઞાન વિશાળ છે. વાણીનો અહિંસા સાથે સીધો સંબંધ છે. અહિંસાની સફળતાની ચાવી છે વાણી, અને હિંસાની સફળતા માટે મોટો અવરોધ વાણીનો અવિવેક હિંસા છે, વાણીનો વિવેક અહિંસા છે. અમે અમારા નાના મુનિ મહારાજને આગમ અનુસાર એમ શીખવીએ છીએ કે કાણાને કાણો ન કહેવાય. એક આંખવાળી વ્યક્તિનું “કાણો' કહીને અપમાન ન કરાય. અંધને અંધ ન કહેવાય, પ્રજ્ઞાચક્ષુ કહેવાય. જૈનદર્શનના ધુરંધર વિદ્વાન હતા પંડિત સુખલાલજી. દેશ-વિદેશમાં એમની ખ્યાતિ હતી. વિદ્વાનો પણ એમનું માર્ગદર્શન મેળવતા. પંડિતજી પ્રજ્ઞાચક્ષુ હતા. પ્રજ્ઞાચક્ષુ એક સન્માનસૂચક શબ્દ છે. અંધત્વની જાણ થવા છતાં પ્રજ્ઞાસૂચક શબ્દથી વ્યક્તિનું સન્માન થાય છે. પ્રેમપૂર્વક આ ઉલ્લેખ થઈ શકે છે. આજે જે મોટા લોકો તરીકે ઓળખાય છે એમને તો ભાષાનો વિવેક હોવો જોઈએ છે. બોલીની ભાષા ગોળી જેવી નહિ હોવી જોઈએ. સંસ્કૃતમાં કહેવાયું છે. સત્યં બ્રૂયાત પ્રિયં બ્રૂયાત ન છૂયાત સત્યમ પ્રિયમ્ | પ્રિય ન નાનૂ ભૂયાદ્વૈષધર્મ સનાતન: // પ્રિય બોલો, સત્ય બોલો પણ અપ્રિય સત્ય ન બોલો. કટુ સત્ય ન બોલો. સત્યને પ્રિયતાનાં વસ્ત્રો પહેરાવીને રજૂ કરો. જેથી સાંભળનારને અપ્રિય ન લાગે અને તમારું કથન પણ નકામું ન લાગે. બીજી કસોટી છે કર્મ. જુઓ કે આચરણ કેવું છે? કર્મ કેવું કરે છે? એના આધારે નાદાનિયત કે પરિપક્વતાનો ખ્યાલ આવશે. મહત્ત્વની વાત છે હિંસાનું દ્વાર : વાણીનો અસંયમ ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy