SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. નવો માણસ-અજાણ્યો માણસ ગમે તેવો બાહોશ હોય તો પણ થાપ ખાઈ જાય એવી આ વિશિષ્ટ રચના હતી. દુર્યોધન પ્રાસાદમાં ફરી રહ્યો હતો. ઉતાવળે ચાલતા તે સીધો જળમાં પ્રવેશી ગયો. વસ્ત્રો ભીંજાઈ ગયા અને વસ્ત્રો ઊંચા લઈને ચાલ્યો ત્યાં તો જળ જ નહોતું. દ્રૌપદીએ આ દશ્ય જોયું અને દુર્યોધનનો ઉપહાસ કરતાં બોલી, “અંધનું સંતાન પણ અંધ હોય છે.” દ્રૌપદીની વાતથી દુર્યોધનનું ઘોર અપમાન થયું. તેના મનમાં અપમાનનો બદલો લેવાની ગ્રંથિ બંધાઈ ગઈ. કાંટાની જેમ ખૂંપેલી વાતે આખરે મહાભારત થયું. ઘણી વખત મહિલાઓ આપસમાં ઝઘડે ત્યારે એકબીજાના ખાનદાનને ઉતારી પાડતી વાણી ઉચ્ચારે છે. “તારું તો આખું ખાનદાન એવું છે. આવી ભાષાનો પ્રયોગ ઘણા વિષમ પરિણામ લાવે છે. અખાડો થઈ જાય છે. વાણીનો વિવેક હોય તો પરસ્પર સૌહાર્દ રહી શકે છે. વર્તમાનમાં જે લોકો ઊંચા પદ પર બેઠા છે તે લોકો વાણીસંયમનું સભાનતાપૂર્વક આચરણ કરે તો પણ ઘણી પ્રભાવક અસર થાય. વાણીવિવેકનું મહત્ત્વ લોકોને સમજાય તે જરૂરી છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપને ટાળવા જોઈએ. મૂળભૂત સમસ્યાનો ઉકેલ આવતો નથી અને ગૌણ સમસ્યાઓમાં બધાં ગૂંચવાયા કરે છે, નવી સમસ્યાઓ ઊભી કરે છે. આપણે ત્યાં મુનિ દીક્ષા થાય કે સાધુ-સાધ્વિઓને ભાષા-વિવેક શીખવવામાં આવે છે. ભાષા-વિવેકનું રીતસર અધ્યયન થાય છે. અગર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાષાવિવેકનું આ શિક્ષણ આપવામાં આવે તો ચોક્કસ તેના વિકાસમાં આ વાત ખૂબ સહાયક સિદ્ધ થશે. અમુક મોટા માણસો પોતાના નોકર-ચાકરો સાથે શાલીન ભાષામાં વાત કરતા નથી. એમને ખબર નથી કે સન્માનપૂર્વક તેમની સાથે સંવાદ થાય તો આખરે તેમના પોતાના માટે જ ફાયદાકારક છે. ઘરકામ કરનાર માણસને આત્મીયતાનો અનુભવ કરાવીએ તો તે પોતાની જાતને પરિવારની વ્યક્તિ તરીકે જ જોશે. અપમાનજનક ભાષાપ્રયોગ, વ્યવહારથી તેની અડધી શક્તિ તો પ્રતિક્રિયાત્મક વર્તન મહાપ્રજ્ઞ વાણી - ૬ ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy