________________
હિંસાનું દ્વાર : વાણીનો અસંયમ
એકરૂપતા ક્યાંય નથી. ન માણસના જીવનમાં, ના પ્રકૃતિમાં. એક તરફ આંબાનું વૃક્ષ છે, બીજી તરફ બાવળ છે. આપણી સામે જ ગુલમહોર આદિ વિવિધ પ્રકારના વૃક્ષ -છોડનાં ફૂલ છે. દરેકના રંગ-રૂપ-ગંધ જુદા છે. આકારપ્રકાર અલગ છે. આ દુનિયામાં સમાનતા શોધવી મુશ્કેલ છે. જ્યારે પ્રકૃતિનાં આ તત્ત્વોમાં સમાનતા નથી તો પછી માણસમાં સમાનતાની સંભાવના કઈ રીતે રાખી શકાય? દરેક માણસનાં મન, બુદ્ધિ, ચિંતન અલગ-અલગ છે. આ ભેદની દુનિયામાં સમાનતા શોધવી મુશ્કેલ છે. રહેઠાણ પણ સહુના અલગ છે, દિશા અલગ છે. કોઈનું પૂર્વમાં, કોઈનું પશ્ચિમ તરફ મુખ છે. દિશાઓ જુદી, આકૃતિઓ જુદી, પ્રકૃતિ પણ જુદી. આવી ભિન્નતાની દુનિયામાં સમાનતાની શોધ કરવી એ ખૂબ મુશ્કેલ કામ છે.
અહિંસાનો આધાર છે સમાનતા. બધા જીવ સમાન છે, આત્મા સમાન છે. સમાનતા, સિદ્ધાંતની વાત થઈ શકે છે પણ વ્યવહારમાં સમાનતા ક્યાંય દેખાતી નથી. આપણે વિચાર કરીએ કે માણસ ખરાબ છે કે સારો? શાસ્ત્રની ભાષામાં પૂછીએ તો માણસ જ્ઞાની છે કે અજ્ઞાની? કોઈ જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે પણ માણસે શોધ કરીને જાણી
લીધું કે આંબાનું વૃક્ષ કામનું છે અને બાવળનું નકામું છે. હિંસાનું દ્વાર વાણીનો અસંયમ •
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org