________________
પૈસાથી દૂર કરી શકતા નથી, પણ એક વાત જરૂર કહીશ કે સાધારણ સ્થિતિમાં પણ માણસ પોતાના શ્રમ દ્વારા ખૂબ સારું જીવન વ્યતિત કરી શકે છે. મુશ્કેલી એ છે કે ગરીબી માણસને ખોટી દિશામાં જવા પ્રેરિત કરી દે છે. ગરીબી, અભાવ, દુઃખ અને વિવિધ સમસ્યાઓથી પીછો છોડાવવા માણસ પુરુષાર્થને બદલે નશામાં ડૂબી જાય છે. એક મહિલા અમારી પાસે આવીને તેનાં દુઃખરાં રોઈ. મહાશ્રમણે પૂછ્યું, “પતિ કાંઈ કામ કરે છે કે નહીં?' પત્નીએ રડતાં રડતાં જવાબ આપ્યો. ‘તેમની શું વાત કરીએ મહારાજ ! તેઓ આખો દિવસ નશામાં ડૂબેલા હોય છે.”
ઘરનો મોભી શરાબના નશામાં હોય એ પરિવારના સુખની કોઈ સંભાવના ખરી? આશ્ચર્ય એ વાતનું છે આજે સમાજમાં સૂચના અને જોખમોની જાણકારીના આટલાં બધાં સાધનો હોવા છતાં માણસ જીવન તબાહ કરવાના, નષ્ટ કરવાના અને બરબાદ કરવાના રસ્તે કેમ વળી જાય છે. એના ઘણાં કારણોમાં એક કારણ એ છે કે સરકાર પોતે રાજ્યની આવક વધારવા માદક દ્રવ્યોનું ઉત્પાદન કરાવે છે. ઉદારતાથી દારૂના પરવાના આપવાના અને બીજી બાજુ દારૂની લતથી સાવધાન રહેવાની જાહેરખબર કરવાની. સરકારનું આ બેવડું ધોરણ છે. તમાકુના પાઉચ પર, સિગારેટના બોક્સ પર અને દારૂની બોટલ પર સરકાર વૈધાનિક ચેતવણી છાપવાનું કહી દે છે. સેવન સ્વાથ્ય માટે હાનિકારક છે એમ કહી દેવાથી જાણે સરકારની જવાબદારી પૂરી થઈ જાય છે. જો હાનિકારક હોય તો ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ કેમ નહિ? દરેક સરકારની જવાબદારી છે કે નાગરિકોના સ્વાથ્ય માટે સજાગ રહે. કોઈ પણ વસ્તુ માણસના આરોગ્યને, જીવનને હાનિકારક હોય તો તેના પર કડક પ્રતિબંધની અને તેના અમલીકરણની જોગવાઈ હોવી જોઈએ. પણ ભારતમાં વિચિત્ર સ્થિતિ છે. અહીં નશીલા પદાર્થો પ્રત્યે સચેત કરવામાં આવે છે અને સમાંતર રીતે વેચાણ માટે જાહેરાતો દ્વારા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. વિશેષ કરીને યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અભિનેતા, અભિનેત્રી અને મોડેલોનો સહારો લેવામાં આવે છે. આખરે સરકારનો ઉદ્દેશ શું છે? તે શું કરવા ઇચ્છે છે તે સ્પષ્ટ થવું જોઈએ. માણસ દુઃખી કેમ છે?
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org