________________
કે શહેરમાં તો ચિકિત્સાની સુવિધા સહજ હોય. ગામનો માણસ મોંઘો ઇલાજ કરાવી શકતો નથી. સુવિધા પણ હોતી નથી. ગામના માણસને શ્વાસ લેવાની કળા આવડી જાય તો પચાસ ટકા બીમારી સમાપ્ત થઈ જાય. ઘણી બીમારીથી એનો બચાવ થઈ શકે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે એને બીમારી થતી નથી. ગામડાનો માણસ તો દવાની સહાય વગર રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. ગામનું વાતાવરણ પ્રાકૃતિક અને પ્રદૂષણરહિત હોય છે. ગામડાનો માણસ નશાની આદતથી દૂર રહે અને શ્વાસ લેવાની સાચી રીતથી પરિચિત થઈ જાય તો એનામાં રોગ-પ્રતિરોધક શક્તિ અને સહજ રીતે પ્રાપ્ત થઈ શકે છે. ખુલ્લા આસમાન નીચે દસ-પંદર મિનિટ લાંબા શ્વાસ લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ નિશ્ચિત સ્વરૂપે વધે છે અને ઘણી બીમારીઓથી બચી શકાય છે.
આ બધી પાયાની વાતો છે. ક્રોધ માણસની રોગ-પ્રતિરોધક શક્તિને કમજોર બનાવે છે. અગર આવેશ કરવાનો બંધ થઈ જાય તો પણ ઘણો લાભ છે. આવેશમુક્ત રહેવાનો કોર્સ હોવો જોઈએ. માત્ર બાળકો માટે નહિ, વયસ્કો માટે પણ. સહુને માટે શ્વાસ લેવાની કલાનું શિક્ષણ જરૂરી છે. એને હઠયોગમાં સવાસન, પ્રેક્ષાધ્યાનમાં કાયોત્સર્ગ કહે છે. આ ક્રિયામાં સીધા સૂઈને થોડી વાર માટે શરીરને ઢીલું છોડવાનું છે. આ રોગને દૂર ભગાવવાનો એક મંત્ર છે, જે લોકો મહેનત કરે છે, મજૂરી કરે છે એમને નવી શક્તિ પ્રાપ્ત કરવાની અબોધ વિધિ છે. જેમને ઊંઘ આવતી નથી તેઓ કાયોત્સર્ગવિધિ જાણી લે તો અનિદ્રાના રોગથી મુક્તિ મળી શકે છે.
આપણે ફરી એક વખત એ વાત પર પાછા આવીએ કે દુઃખ બહારથી આવે છે તેમ વિશેષ તો અંદરથી આવે છે. અમારા જયપુર પ્રવાસ દરમિયાન આજુબાજુના અનેક ગામોનાં સ્ત્રી-પુરુષ – વયસ્કો – વૃદ્ધોના નિત્ય સંપર્કમાં આવવાનું થાય છે. લોકો આવે છે. મળે છે. ગામડાંના લોકોની સમસ્યા જુદી છે. શહેરના લોકોની પણ જુદી છે. સહુની પોતપોતાની સમસ્યાઓ છે. કોઈને ગરીબીનું દુખ છે, કોઈને અમીરીનું દુઃખ છે. અમે કોઈની આર્થિક સમસ્યા
૩૮
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org