________________
અગર આપણે શ્વાસ લેવાની કળા શીખી જઈએ તો ઘણી આદતોથી આશ્ચર્યજનક રીતે છૂટી જઈએ. આદત-પરિવર્તનનું સાધન છે શ્વાસ. આપણે લાંબો શ્વાસ લેવાનું શીખીએ. અગર એમ શીખી જઈએ તો શ્વાસ પણ સારો રહેશે અને શરીર પણ નિરોગી તથા મજબૂત બનશે. મારી સામે ગામની બહેનો બેઠી છે. હું એમને પૂછવા ઇચ્છું છું કે ભજન, કીર્તન ગાવ છો, પૂજા પાઠ કરો છો, ઉપવાસ કરો છો, વ્રત કરો છો, ત્યારે મન તેમાં એકાગ્ર હોય છે કે ભટકે છે? ! જરૂર ભટકતું હશે. મન કેમ ભટકે છે? એક કામ કરો છો તો મન બીજા કામમાં કેમ જતું રહે છે? એનું કારણ એટલું જ છે કે મનને એકાગ્ર કરતા શીખ્યા નથી. મનની ચંચળતા ઓછી કરીએ તો બધું બરાબર થઈ જાય. મનની ચંચળતા આખી વાતને સમજવાનો અવસર આપતી નથી. ધાર્મિક વ્યક્તિએ પ્રથમ તો એ પાઠ ભણવાનો છે કે મનની ચંચળતા કઈ રીતે ઓછી થાય? જૂના જમાનામાં પનિહારી પનઘટથી પાણી લાવતી. આ પનઘટ એક રીતે તો મહિલાઓનું મિલન સ્થળ, ત્યાં સ્ત્રીઓ એકબીજા સાથે પરસ્પરના સુખ-દુઃખની વાત કરી લેતી. પણ પનિહારીઓને કૂવે-તળાવેથી પાણી ભરવાનો એક ફાયદો એ હતો કે તેમની શ્રમનિષ્ઠા, શ્રમ કરવાની ટેવ જળવાઈ રહેતાં અને એકાગ્રતાનો પણ અભ્યાસ થતો. પાણી ભરીને લાવતી વખતે પરસ્પર ઘણી વાતોમાં ગૂંથાઈ જતી પણ માથે મૂકેલા ઘડાનું સંતુલન બરાબર જળવાઈ રહેતું.
જ્યારે આપણી એકાગ્રતા, આપણા આત્મા સાથે જોડાઈ જાય, ચેતના સાથે જોડાઈ જાય તો પછી કોઈ કામમાં મુશ્કેલી આવતી નથી. મનની ચંચળતા કઈ રીતે ઓછી થાય? એની કળા છે શ્વાસ. જે વ્યક્તિ શ્વાસ લેવાની કળા જાણે છે એના મનની ચંચળતા ખૂબ ઓછી હોય છે. આપણી કેળવણીના પાયામાં ખાવા, પીવા, ઊઠવા, બેસવા અને સૂવા અંગેની પણ તાલીમ હોવી જોઈએ. જીવન જીવવાની કલાના આ પ્રથમ પાઠ છે. આવા પાઠ આજે ઘરમાં કે સ્કૂલમાં ભણાવવામાં આવતા નથી એટલે માણસ જીવન જીવવાની કળાના પ્રશિક્ષણથી વંચિત રહી જાય છે.
બીમારી બહુ મોટી સમસ્યા છે. ગામના માણસ માટે વળી વિશેષ, કારણ
માણસ દુઃખી કેમ છે?
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org