________________
સમાપ્ત કરી જીવનને નીરસ બનાવી દે છે. ક્રોધ સહુને આવે છે. મારી સામે આટલા વિદ્યાર્થીઓ બેઠા છે. હું પૂછીશ કે, બોલો ગુસ્સો આવે છે કે નહીં? સહુ એમ જ કહેશે કે આવે છે. બધા લોકો જાણે છે કે ગુસ્સો ઠીક નથી. ગુસ્સો નહીં કરવો જોઈએ. ગુસ્સો છોડી શકાય છે. વિદ્યાલયોમાં જે ભણાવવામાં આવે છે તેનાથી જાણકારી વધે છે, અજ્ઞાન મટે છે, બુદ્ધિનો વિકાસ થાય છે. તર્કશક્તિ વધે છે. સમજશક્તિ પણ વધે છે, પણ ગુસ્સો ઓછો થતો નથી. ગુસ્સાની આદત કઈ રીતે બદલવી ? આ એક પ્રશ્ન છે. બીજી પણ ઘણી આદતો હોય છે. નિંદાની આદત, ચાડી-ચુગલીની આદત, અપશબ્દ બોલવાની આદત, અહંકારની આદત આ બધી ખરાબ આદતો છે અને આ આદતો શાળાએ ગયા વગર
પણ આવી જાય છે. આવી આદતોથી છુટકારો કઈ રીતે મેળવાય ?
–
આજે જે શિક્ષણ શાળામાં આપવામાં આવે છે તેનાથી આ બધી આદતોથી છુટકારો મળે એવું લાગતું નથી કારણ કે આજની કેળવણી બૌદ્ધિક વિકાસ માટે છે અને ક્રોધાદિનો સંબંધ આપણી ભાવધારા સાથે છે. આપણા નકારાત્મક ભાવ જ આપણા ક્રોધનું મૂળ કારણ છે. પરિવર્તન શિક્ષણથી નહિ આવે, પ્રયોગથી આવશે. ખૂબ ગુસ્સો આવે તો થોડી ક્ષણો સુધી લાંબા શ્વાસ લઈએ તો ક્રોધ શાંત થઈ જશે. આજે શિક્ષણ જગતમાં અંધકાર વ્યાપ્ત છે. આજે જ અખબારમાં વાંચ્યું કે સ૨કા૨ કેળવણી ક્ષેત્રે ધરમૂળથી ફેરફાર લાવવા ઇચ્છે છે. જે દિવસે ખરેખર પરિવર્તન થશે તે દિવસથી દેશનું ભાગ્ય બદલવાનો પ્રારંભ થશે. અત્યારે જે ભણાવાઈ રહ્યું છે તેનાથી વિદ્યાર્થીના જીવનનું નિર્માણ થતું નથી.ભણનારનું હિત થતું નથી. ધન કમાવવાની કળા તો આવી જાય છે, પણ જીવનનું હિત સધાતું નથી, હમણાં જ અમે જયપુરથી આવી રહ્યા હતા ત્યારે વર્તમાનપત્રમાં વાંચ્યું કે પરીક્ષામાં અનુત્તીર્ણ થવાથી એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો. આખરે એવી તો કઈ બીમારી છે આ શિક્ષણ વ્યવસ્થામાં કે માણસ મરવાનું વિચારે અને આપઘાત પણ કરે.
થવું તો એમ જોઈએ કે શિક્ષણથી માણસની સમજ એવી વિકસે કે મરવાની વાત તો કદી સ્વપ્ને પણ વિચારે નહિ, પણ આવેશમાં તે મરવાનું કદમ ઉઠાવે
માણસ દુઃખી કેમ છે ?
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org