SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ ઘણી મુશ્કેલીઓ સાથે જીવે છે. અવારનવાર અવનવી મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. એટલે એવા નિષ્કર્ષ પર પહોંચાયું છે કે દુઃખી અને સુખી હોવાનું કારણ વસ્તુની સુલભતા અને દુર્લભતા નથી, પણ વ્યક્તિનું અજ્ઞાન છે, આવેશ છે. જે વ્યક્તિના આવેશ શાંત છે, એ સુખી રહે છે. ચાહે ગામનો માણસ હોય કે શહેરનો. અગર આવેશ શાંત હશે તો તે સુખેથી જીવશે. થોડો-ઘણો આવેશ તો દરેક માણસમાં હોય છે પણ એની તીવ્રતા નહિ હોય તો તે સુખી હશે. લોભની તીવ્રતા નહિ હોય તો માણસ સુખનું જીવન જીવશે. બંનેનું વિશ્લેષણ કરી આપણે નિષ્કર્ષ કાઢીએ કે સાધન-સંપન્નતાની સાથે આવેશ પણ વધતો જાય છે. સાધન આવેશને તીવ્ર બનાવે છે કારણ કે મનના કોઈ ખૂણામાં તે અહંમની ભાવના જન્માવે છે. એક નાના ગામની વાત છે. મજાનો પ્રસંગ છે. પતિ-પત્ની વચ્ચે કાયમી ઝઘડો થતો. બંનેનો આવેશ તીવ્ર, બંને કંઈને કંઈ વચ્ચે ચાલ્યા કરે. બંને ઝઘડે એટલે ખાવા-પીવાનું છોડી થોડો સમય એકબીજા રિસાઈ જાય. પરિણામે બંને દુઃખી રહેતાં. એક દિવસ ઝઘડો થયો. એકબીજા સાથે બોલવાનું બંધ. ગામના લોકો પોતપોતાના ખેતરે જઈ રહ્યા હતા. પત્નીથી રહેવાયું નહિ. તે બોલી, લોગ ચાલ્યા લાવણી, લોગ ધૂની જાય' - લોકો ખેતરે જાય છે, કેમ ન જાય? અબોલા હતા એટલે સીધેસીધુ પતિને કહેતી નથી કે લોકો જઈ રહ્યા છે તો તમે કેમ જતા નથી? પતિએ જવાબ દીધો, “લોગ ચાલ્યા ખાય-પી, લોગ ક્યું ની ખાય' - લોકો તો ખાઈ-પીને જઈ રહ્યા છે. પત્નીએ કહ્યું, “છીકે પડી રાબડી, ઉતાર ક્યું ની લેય' - રાબડી તો છીંકા પર રાખી છે, ઉતારી લેતા કેમ નથી? પતિએ કહ્યું, “હવે આપણે બોલ્યા, ઉતારી કેમ દેતી નથી?' આમ, અબોલાં તૂટ્યાં. લડાઈ-કલહ થાય તો સઘળું દુઃખ ગાયબ થઈ જાય. સમસ્યા જન્મે છે એટલે ક્રોધની આદત બદલવાની જરૂર છે. કારણ કે ક્રોધ જીવનની સમરસતાને ૩૪ મહાપ્રજ્ઞ વાણી - ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy