________________
લાગી. જિંદગીમાં આવો હાર ફરી નહિ મળે તેના વિચારમાત્રથી તેનું દુઃખ વધી ગયું.
પત્ની પાસેથી હાર ચોરાઈ જવાની વાત સાંભળવા છતાં પતિના ચહેરા ૫૨ દુઃખના કોઈ ભાવ ન હતા. તેણે કહ્યું, ‘ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો. એના માટે હવે ઊંઘ બગાડવાની જરૂર નથી. ચોરી થઈ ગયો હોય તો પણ ચિંતા ન કરીશ.’
પત્નીને ખૂબ નવાઈ લાગી. એને તો એમ હતું કે હાર ખોવાઈ જવાની વાતથી પતિને ખૂબ ગુસ્સો આવશે. મારી બેદરકારી માટે ઠપકો સાંભળવો પડશે. આટલો મોંઘો હાર ગુમાવ્યો હવે શું થશે ? પણ પતિ તો તદ્દન બેફિકરાઈથી કહી રહ્યો છે કે કાંઈ વાંધો નહિ. હવે ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. પતિને મૌન જોઈ તે બોલી ‘કેવા માણસ છો તમે ? આટલી મૂલ્યવાન વસ્તુ ગુમ થઈ ગઈ છે અને તમને કાંઈ થતું નથી ? !' આવો હાર કાંઈ રોજ રોજ થોડો ખરીદી શકાય છે ?
પતિએ કહ્યું, ‘એ હાર નકલી હતો.’ - આટલું સાંભળ્યું કે પત્નીની સઘળી ઉદાસી ગાયબ થઈ ગઈ.
ઘણાં દુ:ખો આપણી અજ્ઞાનતાના કારણે હોય છે. આપણે પોતાની શક્તિઓથી અજાણ હોઈએ છીએ. એવું નથી કે શહેરનો માણસ હોય, ધનવાન હોય એટલે સુખી હોય. એમ પણ નથી કે ગામડાનો માણસ હોય, ગરીબ હોય, એટલે દુ:ખી હોય. જે વ્યક્તિની પાસે સંતોષનું ધન છે, એ અભાવમાં પણ કદી દુ:ખી થતો નથી.
સૂત્રાત્મક રીતે એમ કહી શકાય કે - અલ્પ સાધન, અધિક સુખી. બહુ સાધન, અલ્પ સુખી. જેની પાસે ઓછાં સાધનો છે તે સુખી છે અને જેમની પાસે સાધનોની અતિશયતા છે એ ઓછાં સુખી અથવા દુઃખી હોય છે. આ એક સત્ય છે. અગર આપણે સર્વે કરીએ તો જણાશે કે આ બહુ મોટું સત્ય છે. અલ્પ સાધનસામગ્રી વાળો માણસ સુખેથી જીવે છે. સાધન-સામગ્રીની અતિશયતા વાળો
માણસ દુઃખી કેમ છે ?
Jain Education International
For Private & Personal Use Only
33
www.jainelibrary.org