________________
માણસ દુઃખી કેમ છે ? .
કોઈ માણસ એમ કહે કે હું ખૂબ સુખી છું તો સાંભળવામાં સારું લાગે છે. અગર એમ કહે કે ખૂબ દુઃખી છું તો સાંભળવું ગમતું નથી. માણસ શક્તિશાળી પ્રાણી છે, છતાં એમ કહે કે હું ખૂબ દુઃખી છું તો સ્પષ્ટ છે કે તે પોતાની જાતને જાણતો નથી. પોતાની શક્તિ અને સ્વરૂપનું એને જ્ઞાન નથી. એનું અજ્ઞાન જ એને દુઃખી બનાવે છે. અજ્ઞાન માણસને ઓછું દુઃખ આપતું નથી. સાચી સ્થિતિનું જ્ઞાન હોય તો દુઃખ ઓછું થાય છે.
એક ગૃહસ્થની પત્ની ઘણા દિવસોથી હારની માંગણી કરી રહી હતી. પતિ પૈસાની તંગીનું બહાનું કાઢી દરેક વખતે વાત ટાળતો. આખરે પત્નીની વારંવારની માંગણીથી કંટાળીને નકલી હાર ખરીદી લાવ્યો. હાર નકલી હતો પણ અસલને ઝાંખો પાડી દે તેવો હતો. આજકાલ નકલીની બોલબાલા છે. અસલ નકલ વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ થઈ જાય એવી સ્થિતિ છે.
પતિએ ઝળહળતો હાર પત્નીને આપ્યો અને પત્ની તો ખુશ થઈ ગઈ. વર્ષોની આશા પૂરી થઈ. ગળે હાર પહેરી ફરવા લાગી. ચાર-પાંચ દિવસ પછી હાર ચોરાઈ ગયો. પત્ની ઉદાસ થઈ ગઈ. પોતે હારનું ધ્યાન ન રાખી શકી તેનો તેને ભારે વસવસો થયો. પોતાના ભાગ્યને દોષ દેવા
મહપ્રજ્ઞ વાણી -૬
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org