________________
એનાથી નિષ્કર્ષ એ નીકળે છે કે ખરાબ વિચારોમાં સામુદાયિકતા થઈ જાય છે, પણ જ્યાં સકારાત્મક વિચાર, ભાવ અને કાર્યનો પ્રસંગ આવે છે કે લોકો દૂર ભાગવા લાગે છે. સંગઠનોમાં પણ એમ જ જોવા મળે છે. ખરાબ લોકોની ટોળી જલદી થઈ જાય છે. ભલા માણસોને સંગઠિત થવામાં વાર લાગે છે. ભેગા થાય તો પણ પરસ્પર ઝઘડતા હોય છે. ડાકુઓની ટોળીમાં બધા જ સરદારનો આદેશ માને છે, એક જ ઇશારે બધું કરવા તૈયાર રહે છે. આપણા સભ્ય સમાજમાં સોસાયટીઓ-સંગઠનોના આદેશની અવહેલના થતી હોય છે. એનું એ જ કારણ છે કે સારા માણસોમાં આકાંક્ષા ઝડપથી જાગૃત થાય છે. આપણે તેના ઉપાયની શોધ કરવાની છે, કે જેથી સામુદાયિક ચેતનાના વિકાસને બળ મળે. એ સંદર્ભમાં મને લાગે છે કે પોતાના સ્વાર્થનું વિસર્જન કર્યા વગર સામુદાયિક ચેતનાનો વિકાસ નથી થતો. સામુદાયિક ચેતનામાં સ્વાર્થ જ મોટો અવરોધ છે. જ્યાં સ્વાર્થનું વિસર્જન, સુવિધાનો સંયમ થતો નથી ત્યાં સુધી સર્વજનહિતની વાત લક્ષમાં આવતી નથી. વસ્તુનો સમ્યફ ઉપયોગ થવો જોઈએ. વીજળીનો અભાવ છે એમ કહીએ છીએ પણ વપરાશની બાબતમાં સંયમ નથી.
રાજસ્થાનમાં પાંચ કરોડ લોકો છે. વીજળી વપરાશ બાબતે અગર મોટા લોકો એમ સંકલ્પ કરે કે અમે બંગલામાં, કૂલર, એસ.સી.નો પ્રયોગ સમિત કરીશું તો વીજળીના સપ્લાયમાં ઘણો ફરક પડશે. મુશ્કેલી એ છે કે લોકો પોતાના સુખ-સગવડ છોડવા કોઈ તૈયાર નથી. બધાં એમ જ વિચારે છે કે આટલા મોટા રાજ્યમાં એક અમારા સંયમથી જ વીજળી બચવાની નથી. બધા લોકો કૂલર, પંખા ચલાવે છે.
એટલું નક્કી છે કે જયાં સુધી સામુદાયિક ચેતના જાગૃત નથી થતી, સમાજનું કલ્યાણ નથી થતું. સમાજને અહિંસાની દિશામાં લઈ જઈ શકાતો નથી. એના માટે સ્વાર્થોનું સીમાકરણ અપેક્ષિત છે. સ્વાર્થને પૂર્ણ રૂપે માણસ છોડી શકતો નથી. પણ તેને સીમિત કરી શકે છે. સુવિધાઓનું સમાકરણ કર્યા વગર સ્થિતિ બદલી શકાતી નથી. સીમાકરણ શબ્દ ભગવાન મહાવીરનો શબ્દ છે.
૩૦
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org