________________
અહિંસાવાદી સમાજ ન થઈ શકે. કહેવા માટે તો વ્યક્તિ ધાર્મિક છે, પણ કામ એવી રીતે કરે છે જેનાથી અધર્મને પ્રોત્સાહન મળે છે. આ દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. સમ્યફ દર્શનની જરૂર છે. આપણો દષ્ટિકોણ સમ્યફ બને અને એ યથાર્થને સમજી શકીએ. એના વગર થાય એમ કે દૂધથી ભરવાનો કૂવો પાણીથી છલકાઈ જાય છે.
- રાજાની ઘોષણા હતી કે નગરના સર્વે નાગિરકો કૂવામાં રાત્રિના સમયે એક લોટો દૂધ નાખે. સવારે તેને દૂધથી છલોછલ જોવા ઇચ્છું છું. રાજાની આજ્ઞાનું પાલન થવા લાગ્યું. બધા લોકો આ કામમાં પોતાનું યોગદાન આપવા નીકળી પડ્યા. એક વ્યક્તિના મનમાં આવ્યું કે બધા એક એક લોટો દૂધ નાખી રહ્યા છે તો પછી હું એકલો એક લોટો પાણી નાખું તો શો ફરક પડવાનો છે. રાતના અંધારામાં કોઈ જોવાનું નથી. એમ કરીને તેણે તો લોટો ભરીને પાણી નાખી દીધું. આશ્ચર્યની વાત તો એ થઈ કે આવો જ વિચાર અનેક લોકોને આવ્યો. બહુ ઓછી સંખ્યામાં એવા માણસો નીકળ્યા કે જેમણે આદેશનું પાલન કર્યું હોય. બાકી મોટા ભાગના પાણી ઠાલવનારા જ નીકળ્યા. સવારે રાજાએ તપાસ કરી તો આખો કૂવો પાણીથી ભરેલો હતો.
ખરાબ વિચારવું કે ખોટું કરવું હોય તો બહુમતિ મળી જાય છે, જરા પણ વાર લાગતી નથી. જૈન કથાસાહિત્યમાં શુભમ્ ચક્રવર્તીની કથા આવે છે. એ ચક્રવર્તીને સોળહજાર દેવોની સેવાઓ મળેલી. એ વિમાનથી સમુદ્રની ઉપર ઊડી રહ્યો હતો. એ યાનને સોળ હજાર દેવતાઓ ઉડાડી રહ્યા હતા. જ્યારે એ ચક્રવર્તી સમુદ્રની ઉપર ઊડી રહ્યો હતો ત્યારે એક દેવના મનમાં આવ્યું, સોળ હજાર દેવ આ યાનને પોતાનો હાથ લગાડી રહ્યા છે, ખભાનો સહારો આપી રહ્યા છે, અગર હું સહેજ ઢીલું છોડી દઈશ તો શો ફરક પડશે? પંદર હજાર નવસો નવાણું દેવો તો યાન પકડી રહ્યા છે. બરાબર એ જ વખતે ઘણા દેવોને આવો વિચાર આવ્યો કે, “હું ઢીલું મૂકીશ તો શો ફરક પડશે?” સહુએ એક સાથે યાન સાથેનો સંપર્ક છોડી દીધો અને પરિણામ એ આવ્યું કે ચક્રવર્તી આકાશથી નીચે પડ્યો અને સમુદ્રમાં ગરક થઈ ગયો.
અહિંસા વ્યવહારમાં આવે
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org