________________
વ્યાપક સમસ્યા છે. કોઈ એક પ્રાંત કે ક્ષેત્રની સમસ્યા નથી. આ પ્રશ્ન ઊંડા ચિંતનની અને દીર્ઘકાલીન નીતિ બનાવવાની આવશ્યકતા છે અને સહુથી મોટી આવશ્યકતા છે દઢ ઇચ્છાશક્તિની. આ એકલી સરકારના હાથની વાત નથી. ગરીબીની આ ભયાવહ સમસ્યાના ઉકેલ માટે સહુનો સહયોગ આવશ્યક છે.
મેં ત્રણ-ચાર વર્ષમાં આ વાતે ખૂબ ચિંતન કર્યું. મારી દૃષ્ટિએ ત્રણ વસ્તુઓનું સમાન વિતરણ આમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે – જમીન, જળ અને રોજગાર – આ ત્રણ વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ. સરકારની સમસ્યા એ છે કે જાણવા છતાં આ ત્રણ વસ્તુઓનો પ્રબંધ અસમર્થ પુરવાર થાય છે. અમે આ સમસ્યાને માત્ર સામાજિક દૃષ્ટિએ જોતા નથી. એ દૃષ્ટિએ પણ જોઈએ છીએ કે આ સમસ્યા સમાજને હિંસા તરફ ઉન્મુખ કરે છે. રોટીનો અભાવ સમાજને રુણ અને પીડિત બનાવે છે. હું આ સમસ્યાને માત્ર સામાજિક સમસ્યા જ નહીં, ધાર્મિક સમસ્યા પણ માનું છું.
જ્યાં સુધી હિંસાની સમસ્યાનો કોઈ કારગર ઉપાય નથી મળતો, અહિંસાની વાતને માણસના મનમાં ઉતારવી ખૂબ મુશ્કેલ છે. સિદ્ધાંતમાં તો આ વાત ઉતરી શકે છે, પણ વ્યવહારમાં અહિંસાને ઉતારવી મુશ્કેલ છે. અમારી સાથે યાત્રામાં ચાલનાર યુવક, પ્રૌઢ, કિશોર બધા લોકો “અહિંસા પરમો ધર્મનો નારો ખૂબ જોરશોરથી લગાવે છે, પણ વિચારું છું કે ચોતરફ દશ્યો તો હિંસાના દેખાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં નારાનો કોઈ અર્થ નથી. બંનેમાં કોઈ મેળ બેસતો નથી. જયાં સુધી હિંસા વધવાનાં કારણો પર ગંભીરતાથી ચિંતન ન થાય ત્યાં સુધી “અહિંસા પરમો ધર્મનો નારો હવાઈરેકોર્ડમાં જમા થઈ શકે છે, પણ ધરતી પર તો આ નારો કામનો નથી.
મનમાં વારંવાર વિચાર આવે છે, હિંસાનું સમાધાન કઈ રીતે થાય? ચિંતન બાદ નિષ્કર્ષ આવ્યો કે સમાધાન સરકારથી જ ન થાય. સમાજના એ લોકો જેમની પાસે અપાર સંપત્તિ છે અને તેનો ઉપયોગ આડંબર, પ્રદર્શન અને ફાલતુ ખર્ચ પાછળ કરી રહ્યા છે, જો તેઓ કોઈ પરિવર્તનશીલ બને તો, સરકાર અને સમાજ સહભાગી બને તો આ સમસ્યાના સમાધાનની દિશામાં કંઈક
મહાજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org